________________
[૭૪]
નિર્વાણમાર્ગનું રહસ્ય અલખ લે’માં આત્માએ કરી સમાવેશ થયો છે. યોગે કરીને કરે એ એક રટણ છે.” (વર્ષ ૨૪મું, પત્રાંક ૧૭૬)
છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલપ પણ ન્યૂનતા રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. સર્વ પ્રકારના એક દેશ બાદ કરતાં બાકી સર્વ અનુભવાયું છે.
એક દેશ સમજાયા વિના રહ્યો નથી, પરંતુ યોગ (મન, વચન, કાયા)થી અસંગ થવા વનવાસની આવશ્યકતા છે...પરિપૂર્ણ સ્વરૂપજ્ઞાન તે થયું જ છે; અને એ સમાધિમાંથી નીકળી લેકલેકદર્શન પ્રત્યે જવું કેમ બનશે? એ પણ એક મને નહીં પણ પત્ર લખનારને વિકલ્પ થાય છે? ”
(વર્ષ ૨૪મું, પત્રાંક ૧૮૭)
કહેવારૂપ હું તેને નમસ્કાર હો.”
(વર્ષ ૨૪મું, પત્રાંક ૧૮૮)
આજના પ્રભાતથી નિરંજનદેવની કઈ અભુત અનુગ્રહતા પ્રકાશી છે. આજે ઘણા દિવસ થયાં છેલી પરાભક્તિ કઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે...આખી સૃષ્ટિને મળીને જે મહી કાઢીએ માત્ર એક અમૃતરૂપ વાસુદેવ ભગવાન જ મહી નીકળે છે.....આ વાત અને આખું ભાગવત એ એકને જ પ્રાપ્ત કરાવવા માટે અક્ષરે અક્ષરે ભરપૂર છે; અને તે (અ) મને ઘણું કાળ થયા પહેલાં સમજાયું છે, આજે અતિ અતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org