________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[ ૭૧] જે ગુપ્ત અદ્ભત રહસ્ય છુપાયેલું છે તેને પકડી પાડી તે પરત્વે નિદિધ્યાસન કરવાનો ઉપદેશ કર્યો. નિદિધ્યાસન કરવું એટલે ફરી ફરીને ચિંતન મનન કરવું. જેથી કરીને તે આત્મામાં પરિણામરૂપ થાય. આત્મામાં પરિણમન થાય તે નિદિધ્યાસન.
સપુરૂષનાં મનમાં જે જે વિચાર હોય, તેને બરાબર અનુરૂપ તેમનાં વચન હોય છે અને તે વિચાર અને વચનને આશયને તદ્રુપ એવું વર્તન (આચાર) હોય છે. અર્થાત્ મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓની એકરૂપતા હોય છે. તેમાં ભેદ ક્યારે પણ પડતું નથી; પડે તે તે અસત્ય, માયા અને મોહ કહેવાય, જેને તે સપુરૂષોએ અભાવ કર્યો હોય છે અને ત્યારે તે સત્પરૂષનું ઉત્તમ પદ પ્રાપ્ત થાય છે.
- જ્ઞાની પુરૂષ પિતાની આત્મદશા સંબંધે, પિતાના દોષ સંબંધે, વિચાર કરે છે ત્યારે તેમની વિચારણા પક્ષપાતથી પર અને આત્માને અત્યંતપણે તાવીને પ્રમાણિકપણે કરે છે; અને જેમ હોય તેમ નિર્મળ ભાવ રાખી જ્ઞાનદષ્ટિમાં જુએ છે. સામાન્ય જીવ માટે આ કાર્ય અઘરું હોવા છતાં જ્ઞાની પુરૂષ માટે તે સરળ બને છે, અને તેવી તેમની સહજ સ્થિતિ હેવા છતાં તેઓ આત્મજાગૃતિ, ઉપગની ન્યૂનાધિક તીણતા અને આત્મદષ્ટિએ આત્મલક્ષતા રાખે જ છે. ક્યારેક જ્ઞાની પુરૂષને પિતાની ઉપર કહી તે વિચારણા દર્શાવવાના ઉદય આવે છે ત્યારે તે પ્રમાણિકપણે પ્રમાણિક વચનથી કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org