________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[ 6 ] ઊંચી હોવાની સાથે પિતાની અંદર સપુરૂષ પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધા વિશેષતાઓ વિકસ્યાં હવા ઘટે એ પણ સ્મરણમાં રાખવા રોગ્ય છે. તે વિના રહસ્ય આત્માથી સમજાવાં અત્યંત દુર્ઘટ છે. સમજાયાં પછી નિદિધ્યાસન કરવાનું ફળ ઘણું મોટું છે, જે આપણે આગળ ઉપર વિચારપૂર્વક જોઈશું; દરમ્યાન સર્વને વિચાર અર્થે પરમ કૃપાળુ દેવનાં વચને અહીં ઉતારીએ છીએ.
ચિત્તની જે સ્થિરતા થઈ હોય તે તેવા સમય પરત્વે સપુરૂષના ગુણોનું ચિંતન, તેમના વચનેનું મનન, તેમના ચારિત્રનું કથન, કીર્તન, અને પ્રત્યેક ચેષ્ટાનાં ફરી ફરી નિદિધ્યાસન એમ થઈ શકતું હોય તે મનને નિગ્રહ થઈ શકે ખરે; અને મન જીતવાની ખરેખરી કસોટી એ છે. એમ થવાથી ધ્યાન શું છે એ સમજાશે. પણ ઉદાસીનભાવે ચિત્તસ્થિરતા સમય પરત્વે તેની ખૂબી માલૂમ પડે.” (૨૫).
અત્યાર સુધીનું વિવેચન પરથી આપણે જાણીએ છીએ કે મેક્ષમાર્ગ અને તેને મર્મ પ્રથમના બે બેલમાં સમાય છે અને ત્યાર પછીને બોલે છે તે તેને સહાયકારક તેમ બળ આપનાર છે; તે સહજપણે એવા કમથી આત્મભાવપૂર્વક હૃદયમાંથી નીકળ્યા છે કે તેને ન્યાયથી, બુદ્ધિથી સમજી શકાય, જ્ઞાની ભગવંતની સહજ સ્વાભાવિક, વિના પ્રયાસે નીકળેલી વાણું કેવી હોય તેને નમુને જેવો હોય તે તે અહીં જ છે. તેમને સ્વાભાવિક કમની જાળવણી માટે બુદ્ધિપૂર્વકના વિચાર કરવાની આવશ્યકતા હોતી નથી, તેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org