SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્વાણમાર્ગનું રહસ્ય અવલેન અને તેમના વચનામૃત. તે બંને કારણેથી અથવા આ પાંચમા બેલથી સપુરૂષની ભક્તિ પ્રત્યે લીનતા આવે છે અને તેમના ગુણોની અસરથી તેમજ ભક્તિના પ્રભાવથી ઉદાસીનતા વૃદ્ધિ પામે છે. આ રીતે આ બેલ પણ પ્રથમના બે બોલને બળ આપી ઉપકાર કરે છે. - આ પાંચમાં બેલમાં મુખાકૃતિનું હદયથી અવેલેકન કરવાને બંધ કર્યો છે. અહીં “હૃદય” શબ્દને વિચારપૂર્વક સમજ ઘટે છે. અવકન હૃદયથી એટલે પ્રેમપૂર્વકના સાચા ભાવથી, અને નહીં કે મગજથી એટલે બુદ્ધિ ચલાવીને, કરવાનું છે. પ્રેમ એ આત્માને સહજ ગુણ હોવાથી આત્મા માંથી આવે છે અને તેના આવિર્ભાવનું ક્ષેત્ર છે હૃદય અને તે કારણે તેમાં ભૂલ થતી નથી; જ્યારે બુદ્ધિ એટલે મતિ તે ચેતન સ્વરૂપ હોવા છતાં મતિજ્ઞાનાવરણને કારણે તેમાં કલ્પના ભળી જાય છે અને તેથી ભૂલ થાય તે સમજાય તેવું છે; બુદ્ધિનું સ્થાન મગજ (Brain) ક્ષેત્ર છે અને મગજ જે ન્યૂનાધિકપણે વ્યાધિગ્રસ્ત હોય કે અસ્થિર હોય કે અવિકસિત હોય તે ભૂલ થાય છે. વાસ્તવમાં તે અપૂર્વ પરમાર્થની જેને અપેક્ષા હોય તેણે તે પ્રથમ મગજથી નીચે ઉતરી હૃદય સુધી પહોંચવું અને પછી હૃદયે જે ગ્રહણ કર્યું હોય, અનુભવ્યું હોય, તે મગજથી, બુદ્ધિથી વિચારી દઢ કરવું, જેથી કુતક ઊઠવા સંભવ ન રહે તેમ છેટું ગ્રહણ ન થાય. આથી સત્યરૂષની મખમદ્રાનું હદયથી અવેલેકન કરવાથી તેમની મુદ્રામાં પ્રકાશિત થતા તેમના આત્મિક ગુણેની જાણ થવાથી પુરૂષ પ્રત્યેનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005517
Book TitleNirvan Margnu Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1983
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy