________________
નિર્વાણમાર્ગનું રહસ્ય - “આ પરમ તત્ત્વ છે તેને મને સદાએ નિશ્ચય રહે એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરે, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ! નિવૃત્તિ થાઓ!!
હે જીવ! આ કલેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા, જાગૃત થા! નહીં તે રત્નચિંતામણિ જે આ મનુષ્યદેહ નિષ્ફળ જશે.
હે જીવ! હવે તારે પુરૂષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા ગ્ય છે.” (પ૦૫)
અને જે મુમુક્ષુને સપુરૂષના બોધથી મૂળ માર્ગની પ્રાપ્તિ થઈ છે તેના ભાવ બતાવીએ છીએ.
- “હે પરમ કૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણદિ સર્વ દુઃખને અત્યંત ક્ષય કરનારે એ વીતરાગ પુરૂષને મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપે, તે અનંત ઉપકારને પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છે, જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપનાં ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરૂષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગ્રત રહે એટલું માગું છું તે સફળ થાઓ.” (૪૧૭)
આ પ્રકારના હદયમાંથી ઉદ્ભવેલા ભાવનાં કારણ તે સમજાયાં હશે કે તે છે સપુરૂષની મુખાકૃતિનું હૃદયથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org