________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[૧] સમદશી સને જાણે, બધે; અસતને અસત્ જાણે, નિષેધ, સતને સદ્ભુત જાણે, બોધે, કુશ્રુતને કુશ્રુત જાણે, નિષેધે; સધર્મને સધર્મ જાણે, બધે; અસધર્મને અસદુધર્મ જાણે, નિષેધે, સદ્દગુરુને સદ્ગુરુ જાણે, બધે; અસદુગુરુને અસદ્ગુરુ જાણે, નિષેધક સવને સદૈવ જાણે, બધે; અસવને અસવ જાણે, નિષેધ ઈત્યાદિ જે જેમ હોય તેને તેમ દેખે, જાણે, પ્રરૂપે; તેમાં રાગદ્વેષ, ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ ન કરે એ પ્રકારે સમદશીપણું સમજવું.” (૮૩૭)
સપુરૂષનાં આવા અદ્ભુત લક્ષણોનું ચિંતન કરવા ચોથા બેલમાં પરમકૃપાળુદેવે નિષ્કારણ કરૂણાબુદ્ધિથી જીવના હિતાર્થે ઉપદેશ કર્યો. સપુરૂષનાં ચરિત્રે વાંચવાથી તેમના અંતરગત તેને ગુણોની ઓળખાણ થાય, લક્ષણે લક્ષગત થાય અને પછી તેના પર ભાવપૂર્વક ચિંતન કરવાથી એક તે સહુરૂષનું માડામ્ય સમજાય, તેમના પ્રત્યે અહેભાવ આવે અને તેથી તેમની ભક્તિમાં લીનતા સુલભતાએ થઈ શકે; અને બીજું જેનું ચિંતન કરવામાં આવે, તેનું પોતાનામાં આવિર્ભાવ પણ પ્રગટ થતું જાય છે તે ન્યાયથી તે તે ગુણ પિતામાં અશે અંશે વર્ધમાન થતા જાય છે અને તેને લીધે રાગદ્વેષના મંદ. પણારૂપ ઉદાસીનતા કમથી વધતી જાય છે. આમ આ ચેાથે બોલ પ્રથમના બે બોલની સ્થિતિ વધારી દઢ કરાવવામાં ઉપકારભૂત થાય છે એ સ્પષ્ટપણે સમજાશે. આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org