________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[૫૯] પરમકૃપાળુદેવે ઓગણત્રીશમે વર્ષે અમૃતતુલ્ય અમર કૃતિ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર”ની માત્ર દોઢ કલાકની અંદર રચના કરી તેની દસમી ગાથામાં સદ્ગુરૂનાં લક્ષણે સમગ્રપણે અપૂર્વ વચનથી અદ્દભુત રીતે જણાવ્યાં તે હવે જોઈએ. માત્ર પાંચ બેલમાં લક્ષણે બતાવ્યાં છે, પરંતુ તેને જે વિસ્તાર કરવામાં આવે છે તે એક અપૂર્વશાસ્ત્ર બની જાય. આ ગાથાના ભાવ એટલા બધા ગૂઢ ને રહસ્યયુક્ત છે કે તેને સમજાવવા માટે વચનામૃત પત્રાંક નં. ૮૩૭માં પરમ કૃપાળુ દેવે પોતે જ શેડો વિસ્તાર કર્યો છે, અને તે ગાથાના ભાવની અગત્યતા કેટલી છે તે સહેલાઈથી બતાવે છે. અહીં સંપૂર્ણ વિવેચન ઉતારી શકાય તેમ નહીં હોવાથી, માત્ર સંક્ષેપ જણાવીએ છીએ. વિસ્તૃત અર્થ માટે જિજ્ઞાસુએ તે પત્ર વાંચી, વિચાર, ચિંતન કરવું.
“આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રગ; અપૂર્વ વાણ, પરમથુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.”
( આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૦) આત્મજ્ઞાનને વિષે જેમની સ્થિતિ છે એટલે પરભાવની ઈચ્છાથી જે રહિત થયા છે; તથા શત્રુ, મિત્ર, હર્ષ, શેક, નમસ્કાર, તિરસ્કાર આદિ ભાવ પ્રત્યે જેને સમતા વતે છે, માત્ર પૂર્વ ઉત્પન્ન થયેલાં એવા કર્મોના ઉદયને લીધે જેમની વિચરવા આદિ કિયા છે; અજ્ઞાની કરતાં જેની વાણી પ્રત્યક્ષ જુદી પડે છે અને ષટ્રદર્શનના તાત્પર્યને જાણે છે, તે સદ્ગરનાં ઉત્તમ લક્ષણો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org