________________
નિર્વાણમા નું રહસ્ય
[ ૫૭ ]
સ્ફુરવા વિષે જે પ્રકારે જ્ઞાની પુરૂષ સમીપે સાંભળ્યું છે, તેથી પણ વિશેષ મળવાન પરિણામથી તે પંચ વિષયાદિને વિષે અનિત્યાદિ ભાવ દૃઢ કરે છે, અર્થાત્ સત્પુરૂષ મળ્યે આ સત્પુરૂષ છે એટલું જાણી, સત્પુરૂષને જાણ્યા પ્રથમ જેમ આત્મા ૫ચ વિષયાદિને વિષે રક્ત હતા તેમ રક્ત ત્યાર પછી નથી રહેતા અને અનુક્રમે તે રક્તભાવ માળેા પડે એવા વૈરાગ્યમાં જીવ આવે છે; અથવા સત્પુરૂષના યાગ થયા પછી આત્મજ્ઞાન કઈ દુર્લભ નથી; તથાપિ સત્પુરૂષને વિષે, તેનાં વચનને વિષે, તે વચનના આશયને વિષે પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા ચેગ્ય નથી અને સત્પુરૂષને જીવને યાગ થયા છે એવુ ખરેખરૂ તે જીવને ભાણ્યું છે, એમ પણ કહેવુ કઠણ છે.
""
(૫૨૨)
સત્પુરૂષને તેમનાં લક્ષણાથી ઓળખી અને તેમને આશ્રય કરવાથી જે ફળ જીવને પ્રાપ્ત થાય છે તે અહીં જણાવ્યુ. લક્ષણાનું ચિંતન કરવાના અહીં ઉપદેશ કર્યાં તે એટલા માટે કે તે સત્પુરૂષના ગુણા પોતાનામાં આવે અને તેમની આશ્રય ભક્તિ કરવાની પ્રબળ વૃત્તિ થાય. આથી આ ખેલને આશ્રય બીજા ખેલને એટલે “ સત્પુરૂષની ભક્તિ પ્રત્યે લીન થવું” તેને સહાયકર્તા થાય છે. ભક્તિમાં લીનતા થવા માટે ત્રીજો તથા આ ચેાથેા ખેલ અત્યંત ઉપકારી થાય છે, તે સહુજ વિચારથી સિદ્ધ થશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org