________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[૫૫] મુનિ જેવા હતા, આત્માકાર પરિણમી હતા, તે વર્ધમાનસ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નીરસ જાણીને દૂર પ્રવર્યા.” (૧૬)
જ્ઞાની પુરૂષની પ્રવૃત્તિ, પ્રવૃત્તિ જેવી હોતી નથી. ઊના પાણીને વિષે જેમ અગ્નિપણને મુખ્ય ગુણ કહી શકાતું નથી, તેમ જ્ઞાનીની પ્રવૃત્તિ છે, તથાપિ જ્ઞાની પુરૂષ પણ નિવૃત્તિને કઈ પ્રકારે પણ ઈચ્છે છે. પૂર્વે આરાધન કરેલાં એવાં નિવૃત્તિનાં ક્ષેત્ર, વન-ઉપવન, જેગ, સમાધિ અને સત્સાંગાદિ જ્ઞાની પુરૂષને પ્રવૃત્તિમાં બેઠાં વારંવાર સાંભરી આવે છે. તથાપિ ઉદય પ્રાપ્ત પ્રારબ્ધને જ્ઞાની અનુસરે છે. સત્સંગની રુચિ રહે છે, તેનો લક્ષ રહે છે.” (૪૪૯)
ઉપરના બે અવતરણે પરથી ગૃહવાસમાં રહેવાનો પ્રારબ્ધદય જેમને વર્તતે હોય તેવા પુરૂષનાં લક્ષણો કેવાં હોય, અંતરંગ ભાવસ્થિતિ કેવી હોય અને વ્યવહાર પ્રવૃત્તિ કેવા પ્રકારની હેય, તે અહીંથી જાણી શકાય તેમ છે. તેવા પુરુષની ઓળખાણ કેમ થતી નથી? - “જ્ઞાની પુરૂષની ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ. એક તે “હું જાણું છું,” “હું સમજું છું” એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. બીજુ પરિગ્રહાદિકને વિષે જ્ઞાની પુરૂષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ, ત્રીજું લેક ભયને લીધે, અપકીર્તિ ભયને લીધે અને અપમાન ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે જેવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org