________________
[૫૦]
નિર્વાણમાર્ગનું રહસ્ય એવું અનુપમ ત્રીજુ દષ્ટાંત શ્રી કૃષ્ણ ભગવાનના નાના ભાઈ મહાગીશ્વર, અંતઃકૃત કેવળી શ્રી ગજસુકુમારનું અતીવ પ્રસિદ્ધ છે, તે સંક્ષેપ જોઈએ.
શ્રી ગજસુકુમાર વયમાં નાના, મનહર રૂપવાળા અને સુવિવેકી છે. બાળ અવસ્થા છે. સગાઈ થઈ ચૂકી છે. તેવામાં શ્રી નેમિનાથ તીર્થંકર પ્રભુના સમવસરણમાં પ્રભુની દેશના સાંભળી વૈરાગ્ય આવતાં પ્રભુની પાસે દીક્ષા લે છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે જેના અંતરમાં ઉછરંગ સમાત નથી એવા આત્મવીર્યના કવચથી સુરક્ષિત સુકુમાર પ્રભુને વિનવી " શીધ્રાતિશીધ્ર મેક્ષ કેમ થાય તેને ઉપાય પૂછે છે. બાળગીની પરમ યોગ્યતા જોઈ પ્રભુજી ઉપાય બતાવે છે, કે જે પરમ વિષમ નિમિત્તો વચ્ચે પણ સમતા ધારણ કરી નિજ આત્મ તત્વમાં ઉપગને સબળપણે જોડી રાખે, તે જીવ અતિ અ૫ કાળમાં શિવસુંદરીને વરે છે.
પ્રભુની આજ્ઞા અને આશિર્વાદ મેળવી મુનિવર ગજસુકુમાર સ્મશાનમાં જઈ આરાધના શરૂ કરે છે. કર્મના ઉદયાનુસાર શ્રી ગજસુકુમારના પૂર્વાશ્રમના સસરા સમિલ પિતાની પુત્રીનું ભવિષ્ય બગડવાથી કંધના અતિરેકમાં જમાઈને શેધતાં શોધતાં ત્યાં આવીને તેના માથા પર માટીની સગડી કરી બળતાં અંગારા મૂકે છે. મુનિવર સ્થિતિ પારખી લે છે અને પરમ સમતારૂપ પરમ શીતળ જળથી આત્માને હુવડાવે છે, ક્ષમાનીરથી પવિત્ર અને શુદ્ધ કરે છે તથા પરમ ઉદાસીનતાની ઉત્તમોત્તમ શ્રેણિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org