________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[૪૭] અને અશાતાના તીવ્ર ઉદયે, દૈહિક વેદના વિયેગ આદિ વખતે, માનસિક વ્યથા, સ્વજનાદિનાં મરણ પ્રસંગોએ ઉત્પન્ન થત અકથ્ય ખેદ એ આદિ પરિસ્થિતિ હોય ત્યારે ચિત્ત સ્થિર રહેવું કે દુઃખને સમ્યક પ્રકારે વેદવું ઘણું ઘણું કઠણ છે. મુમુક્ષુ જીવને પણ તેવી આકરી કસોટીના પ્રસંગોએ આત્માને સ્વસ્થ રાખવે મુશ્કેલ બને છે, પરંતુ તેવા સંગે પ્રાપ્ત થાય ત્યારે ધીરજ, સમતા, ક્ષમા અને વેદવાની શક્તિ મેળવવા માટે તે પુરૂષનાં ચરિત્રોનું સ્મરણ કરે છે અને તે સ્મરણબળનું દાન કરી અનુપમ લાભ અને હિતનું કાર્ય સુલભપણે કરાવે છે, આત્મા વીર્યબળ પ્રગટાવતે જઈ નિજ ગુણેને અંશે અંશે ઉધાડ કરતો જાય છે. આવું અદ્ભુત કાર્ય આવા સ્મરણ થકી સહજ થાય છે, અને તે અર્થે જ આ ત્રીજે બોલ પ્રકા છે.
દષ્ટાંત લઈએ, ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ ચાર જ્ઞાનના પત્ત છે. અનેક આશ્ચર્યકારક લબ્ધિ અને સિદ્ધિએના સ્વામી છે. શુદ્ધ આત્મસ્વભાવ પૂર્ણતાએ પ્રગટાવવાના કામી છે. તેવામાં પૂર્વ જન્મના વેરી કમઠને જીવ(તે દેવગતિમાં છે)ને અંતરમાં પૂર્વનું વૈર સાંભરી આવતાં ઉલ્લસે છે. વેરથી અનેકાનેક પ્રકારના ભય ઉપજાવનાર અને પ્રાણહાનિ થતાં વાર ન લાગે તેવા ઉપસર્ગો કરે છે. પ્રભુ કેવળ સમભાવે સ્થિર છે, તે જોઈ આખરે જળની વૃષ્ટિ ને ખૂબ ગાજવીજના ભયંકર કડાકા સાથે ભયાનક વરસાદ વરસાવે છે. પાણીની સપાટી ઊંચી ને ઊંચી આવી ઠેઠ પ્રભુના ખભા સુધી પહોંચે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org