SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૪] નિર્વાણમાર્ગનું રહસ્ય ઓળખી, તેમના એકને આશ્રય કરી, તેમની ભક્તિમાં તનથી અને મનથી જેડાઈ લીન થવાનું કહ્યું હતું. આ બોલમાં ભૂતકાળમાં થઈ ગયેલા અને વર્તમાનમાં બીજા જે કઈ પુરૂષ જાણવામાં હોય તેમનાં ચરિત્રનું સ્મરણ કરવા ઉપદેશ કર્યો, પરંતુ આત્મકલ્યાણ અને આત્મશ્રેય અથે તે એક જ આશ્રય કરે. તે એટલા માટે કે જીવની વૃત્તિ સ્વભાવે (એટલે સમજણના અભાવે) દોષવાળી, ચંચળ અને અસ્થિર રહી છે અને તે કારણે ઝાઝાને વળગવાથી ઊલટી ચિત્તની વિક્ષેપતા વધે, વિકપિ વધે અને સ્થિરતા લાવવાને સહેતુ છે તે પાર ન પડે, વળી અન્ય સ્થળોએ સિદ્ધાંત સમજાવતાં વચને અપેક્ષાએ કહ્યાં હોય તે અપેક્ષાની સમજણ ન હોય અને તેથી વિધ દેખાય ત્યારે મતિ મુંઝાય અને ચિત્ત વિમાસણમાં પડી અટવાય અથવા બ્રાંતિથી છેટું ગ્રહણ થાય, જે મહતું અકલ્યાણનું તેમ સંસાર પરિભ્રમણ વધવાનું સ્પષ્ટ કારણ જાણું એક જ સપુરૂષની આશ્રય ભક્તિમાં રહેવાને અત્યંત કરૂણુંભાવે ઉપદેશ કર્યો છે. વાસ્તવમાં તે એમ છે કે આ કાળે આ ક્ષેત્રે ઝાઝા સપુરૂષનું હોવું અત્યંત દુર્લભ છે અને તેથી પણ વિશેષ દુર્લભ તેમને ઓળખી પ્રતીતિ લાવવાનું કાર્ય છે; પરંતુ અહીં ઉપદેશેલાં બોધવચનો તે સર્વ કાળને માટે એક સરખાં છે, માટે ઉપરનું વિવેચન કરવાની આવશ્યકતા જણાવાથી તેમ કર્યું છે, જેથી જે ત્રિકાળી સત્ય સિદ્ધાંત છે તેનું યથાર્થ તા બે ગ્રહણ થઈ આત્મામાં પરિણામરૂપ થાય. બીજી વાસ્તવિક વાત એ છે કે જેનામાં દઢ મુમુક્ષુતા ઉત્પન્ન થઈ છે અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005517
Book TitleNirvan Margnu Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1983
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy