________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[૪૩] આ માર્ગને મર્મ પ્રકાશનાર જ્ઞાનમૂર્તિ, ચૈતન્ય મૂર્તિ ને શાંતમૂર્તિ શ્રી રાજચંદ્રદેવને અમારા તમારા અતિ ભક્તિભાવે ત્રિકાળ નમસ્કાર હે, નમન હે, વંદન હે. વીતરાગ ધર્મપ્રેરક તેમનાં અમૃતમય, કલ્યાણમય, અપૂર્વ વચને ત્રિકાળ જયવંત વર્તા, જ્યવંત વર્તે. શ્રી તીર્થકર મહાવીર પ્રભુના હૃદયમાં જે વાત હતી તે જાણી લઈ, તેને મર્મ, તેનું અદ્ભુત રહસ્ય, પ્રકાશમાં લાવી જે અનંત ઉપકાર કર્યો છે, તેનો બદલે વાળી શકાય તેમ નથી. “જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરૂં છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરૂષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવ પર્યત અખંડ જાગૃત રહો એટલું માનું છું તે સફળ થાઓ.” (૧૭) - હવે પછીના પાંચ બેલ પ્રથમના બે બેલને સહાયકારી છે, કે આપનાર છે, ઉજ્વળતા આપનાર છે. જ્યાં જ્યાં ક્ષતિ દેખાય કે ખલનને સંભવ જણાય, ભાવમાં મંદતા આવે કે આચારમાં શિથિલતા પ્રવેશે. ત્યાં ત્યાં આ પાંચ બોલની સ્મૃતિ દોષ ટાળવાનું અનુપમ કાર્ય કરે છે. ટુંકામાં બાકીના આ પાંચ બોલ તે પ્રથમના બે બોલને અપેક્ષાએ વિસ્તાર છે અને સાધનામાં પરમ ઉપકારી થાય છે. તે હવે જોઈએ. સપુરૂષનાં ચરિત્રનું સ્મરણ કરવું - આ ત્રીજ બોલમાં “સપુરૂષ” શબ્દ બહુવચનમાં વપરાયે છે તે ધ્યાન ખેંચે છે. બીજા બેલમાં એક સપુરૂષને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org