________________
[૪૨]
નિર્વાણમાર્ગનું રહસ્ય સાચી ભક્તિ પ્રાપ્ત થાય” (ઉપદેશ છાયા-૮) “પુરૂષની ભક્તિમાં લીન થવું.” તેને અર્થ પણ યથાર્થપણે આથી સમજાશે અને તેમ થતાં આગળ આગળની દશામાં આવતાં એ પણ સ્પષ્ટ થશે કે “પરમ પુરૂષની મુખ્ય ભક્તિ, ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય એવા સદ્વર્તનથી પ્રાપ્ત થાય છે. ચરણ પ્રતિપત્તિ (શુદ્ધ આચરણની ઉપાસના) રૂપ સદ્વર્તન જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે, જે આજ્ઞા પરમ પુરૂષની ભક્તિ છે.” (૮૮૫) અહીં કહેલું સદ્વર્તન અથવા શુદ્ધ આચરણની ઉપાસના ભગવાનરૂપ પુરૂષની મુખ્ય ભક્તિથી, એટલે પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણતાથી ઉત્પન્ન હોય છે. જ્યાં અર્પણતા અર્થાત્ ઈચ્છાનો કમિક ત્યાગ નથી, અથવા આજ્ઞાંકિતપણું નથી ત્યાં શુદ્ધ આચરણ વા આત્માને કલ્યાણરૂપ વર્તન નથી. આ “ભક્તિ પૂર્ણતા પામવાને ગ્યા ત્યારે થાય છે કે એક તૃણ માત્ર હરિ પ્રત્યે યાચવું નહીં, સર્વ દશામાં ભક્તિમય જ રહેવું.” (૨૫) અહીં ભક્તિમય એટલે પ્રેમમાં લીનપણે, શ્રદ્ધામાં લીન પણે અને અર્પણતામાં (આજ્ઞામાં) લીનપણે એ ગૂઢ અર્થ છે, અને એ દશા મેક્ષ અપાવનાર છે.
આટલે મેટો અને ગુપ્ત આશય આ બે બોલમાં રહ્યો છે; ઊંડાણમાં ડૂબકી માર્યા વિના તે આશય ભેદને પકડવા અત્યંત દુષ્કર છે; ઊંડા ઉતરવાથી તે સહજ સમજાઈ સ્પષ્ટ થાય છે; માર્ગ પ્રાપ્તિને મમ હસ્તગત થાય છે અને આરાધન માટેની અપૂર્વ વૃત્તિ હૃદય કમળમાં ઉત્પન્ન થઈ કાર્ય રૂપે અનાયાસે પરિણમે છે. આત્માનો મેક્ષ કરાવવામાં સમર્થ એવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org