________________
[૩૮]
નિર્વાણમાર્ગનું રહસ્ય શરૂ થાય છે અને તેના ક્ષય માટે પુરુષાર્થ ગુરૂ આજ્ઞામાં રહી થાય છે અને ઈચ્છાઓ ક્ષીણ થતી જાય છે. આ પ્રમાણે રાગ દ્વેગનું, ઈચ્છાઓનું ક્ષીણ થવું, તેને સંયમ થવો તે વ્યવહાર સમ્યફચારિત્ર છે. બીજી બાજુ પ્રેમગુફાની અંદર વધારે ને વધારે ઊંડા જવાનું થાય છે અથવા બીજા શબ્દોમાં સસ્વરૂપના અનન્ય ચિંતન તરફ જવાય છે અને તેમ થાય છે ત્યારે ગુરૂની આજ્ઞાના આરાધનથી અને તેના ફળરૂપે તેમની કૃપાથી પિતાના શુદ્ધ વરૂપી ચૈતન્યાત્માને શુદ્ધ અનુભવ થાય છે. આ નિશ્ચય સમ્યક્રચારિત્ર છે અને તે જ પ્રકારના પુરૂષાર્થથી એટલે પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતારૂપ ભક્તિથી આખરે કેવલ્ય પદને આત્મા પ્રાપ્ત થાય છે. આ પરથી એ પણ સિદ્ધ થશે કે ભક્તિ એટલે પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતા તથા
શ્રી જિનના સિદ્ધાંતમાં પ્રરૂપેલ સમ્યજ્ઞાન-દર્શન–ચારિત્ર વચ્ચે કેઈ ભેદ નથી. શબ્દો જુદા જુદા પણ ભાવે એક સરખા છે.
- પ્રથમના બે અત્યંત અગત્ય અને પરમ ઉપકારી બોલની વિચારણું સવિસ્તર કરી અને તેનાથી પ્રતીતિ આવશે કે, “ભતિ એ સર્વોપરી માર્ગ છે” અથવા મોક્ષનો ધુરંધર માગ છે એમ જે કૃપાળુ ભગવંતે કહ્યું તે કેવળ સત્ય છે. વળી તે માર્ગ સરળ, સુગમ, સ્વચ્છ અને સુકે છે તે સહજ સમજાશે. અન્ય માર્ગમાં, “જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે; પરમાવગાઢ દશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાનાં ઘણું સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વછંદતા, અતિપરિણામીપણું કે એ આદિ કારણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org