________________
નિર્વાણમાર્ગનું રસ્ય
[૩૭] જાય છે અથવા બીજા શબ્દોમાં જ્યારે પ્રેમની ઉજ્વળતા અને નિર્મળતા થાય છે તથા શ્રદ્ધા એકાગ્રપણે પ્રવર્તે છે, ત્યારે પ્રેમ સમાધિ આવે છે. પ્રેમ સમાધિ એટલે ભગવાનરૂપ સત્પુરૂષના અથવા બેધસ્વરૂપ શ્રી ગુરુને સતત્ સુખરૂપ સ્મરણથી ઉત્પન્ન થતી એકાગ્રતા અને એકાગ્રતાના પરિણામે જન્મ પામતી આનંદપ્રદ શૂન્યતાનું અને આ અનુભવ અદ્ભુતતા સર્જવા સમર્થ થાય છે. એટલે કેઈ અતીવ શુભ અને સુભગ પળે સ્વાત્માનુભૂતિ અર્થાત્ નિશ્ચય સમક્તિ અથવા સમ્યકદર્શન થાય છે. વ્યવહારથી ગણાતું સમ્યકજ્ઞાન આ નિશ્ચય સમ્યફદર્શનના પ્રભાવથી નિશ્ચય સમ્યકજ્ઞાન થઈ જાય છે. બંનેની નિશ્ચયથી ઉત્પત્તિ એક જ સમયે છે. આમ પ્રેમ અને શ્રદ્ધા સમ્યકજ્ઞાન-દર્શનની સાથે સંબંધિત છે, એ બંને વચ્ચે સામ્યતા છે, એ આથી સ્પષ્ટ સમજાશે.
• હવે સમજવાનું રહ્યું તે ભક્તિમાં સમાવેશ પામેલે ત્રીજે ભાવ, અર્પણતા. અર્પણતા એટલે ઈચ્છાની સંપણી. મન, વચન અને કાયાની સર્વ પ્રવૃત્તિ શ્રી સદ્ગુરુના પવિત્ર છેળામાં અર્પણ કરવી. અહં–મમત્વભાવનો આત્મબુદ્ધિએ ત્યાગ કરે, અને શ્રી પુરૂષ કે સદ્ગુરુની આજ્ઞાનુસાર વર્તવું.
જેમ જેમ સપુરૂષ પ્રત્યે શિષ્યના ભાવે પ્રેમ અને શ્રદ્ધારૂપી ગુફાની ઊંડાણમાં જાય છે અને અર્પણતાનો પ્રકાશ તેને અજવાળી સહાયભૂત થાય છે તેમ તેમ તે બંને ગુણની વિશુદ્ધતા વધે છે, દોષનું જવું થાય છે; સૂક્ષ્મ દો દેખાવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org