________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[૩૫] જેના વચનબળે જીવ નિર્વાણમાર્ગને પામે છે, એવી સજીવન મૂર્તિના બોધને આત્મામાં ઉતારી તેમની આજ્ઞાપૂર્વક, આ કહ્યા તે વચનોનું સ્મરણ કરે તો તેમાં બતાવેલ ફળ મળે. તે વચને છે –
હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કેઈપણ મારાં નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષને ક્ષય થાય.” (૬૯૨)
ઉપરનાં વચનોથી અજ્ઞાન, રાગ અને દ્વેષ કેમ ટળે તે કહ્યું, અને તે આ બે બોલથી કેવી રીતે સિદ્ધ થાય છે તે સમજવું કઠિન નથી, છતાં સંક્ષેપથી કહીએ. પહેલા બોલમાં “નિરંતર ઉદાસીનતાને કમ સેવ” એમ કહેવાથી રાગ દ્વેષની પરિણતિ અનુક્રમે ઘટાડતા જવાનું સૂચવ્યું, જેથી આત્મા સમ પરિણામી અને સ્થિર સ્વભાવવાળો થતો જઈ શુદ્ધ થાય. બીજા બોલમાં “સપુરૂષની ભક્તિ પ્રત્યે લીન થવું” એ કહ્યું, ત્યાં ભક્તિ એટલે પ્રેમ, શ્રદ્ધા અને અર્પણભાવ ક્યારે આવે ? તે ઉત્તરમાં કહી શકાય કે પુરૂષની તેમના સાચા સ્વરૂપે ઓળખાણ થાય અને પ્રતીતિ આવે ત્યારે, અને જ્યારે તેવું બને ત્યારે અજ્ઞાન ટળે, અજ્ઞાન ટળવાથી અને જ્ઞાન થવાથી રાગ દ્વેષ અવશ્ય ઘટતા જાય, ક્ષીણતાને પામતા જાય અને અંતમાં ક્ષય થાય. અજ્ઞાન, રાગ, દ્વેષના જવાથી નિજાનંદ, અનંત અવ્યાબાધ સુખસ્વરૂપ, પરમ શુદ્ધતા પ્રગટ થાય, અને તે જ મોક્ષ છે.
આમ આખે મેક્ષમાર્ગ “સપુરૂષની ભક્તિ પ્રત્યે લીન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org