________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[૩૧] છે, જે જીવની વિચારશક્તિ તીક્ષણ હોય અને ડું કહેવાથી ઝાઝું સમજી શકે તેવી હોય, તે તે પાંચ બેલને જૂદા કહેવાની આવશ્યકતા ન રહે; પરંતુ આ કાળ અને આ ક્ષેત્ર આજે હીન અવસ્થાથી ગ્રસિત છે અને જીવનું વિચારબળ યથાયેગ્યપણે પ્રવર્તતું નથી તેથી તેને થડે વિસ્તાર કર્યો છે અને આ સાત બેલથી કહેવા છતાં દરેક જીવ પરમાર્થને બરાબર સમજશે એમ નિશ્ચયથી કહેવું કઠણ છે, કેમ કે સત્યપરમાર્થને સમજનાર જ અલ્પ સંખ્યામાં હેવા સંભવિત છે.
પરમાર્થ માર્ગની પ્રાપ્તિને મૂળ પાયે છે વૈરાગ્ય અને ઉપશમ અથવા સમ્યક્દશાનાં પાંચ લક્ષણો–શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા છે. આ પાંચ લક્ષણ–આ બે બોલમાં કેવી રીતે ગર્ભિતપણે સમાય છે, તે જોતાં પહેલા પ્રથમ તેની વ્યાખ્યા જે પરમકૃપાળુ દેવે કહી બતાવી છે તે જોઈએ.
કોધાદિક કષાયેનું સમાઈ જવું, ઉદય આવેલા કષામાં મંદતા થવી, વાળી લેવાય એવી આત્મદશા થવી અથવા અનાદિ કાળની વૃત્તિઓ સમાઈ જવી તે “શમ”.
મુક્ત થવા સિવાય બીજા કેઈપણ પ્રકારની ઈચ્છા નહીં. અભિલાષા નહીં તે “સંવેગ”.”
“જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું ત્યારથી હવે ઘણુ થઈ, અરે જીવ! હવે ભ એ “ નિવેદ
“માહાસ્ય જેનું પરમ છે એવા નિસ્પૃહી પુરુષનાં વચનમાં જ તલ્લીનતા તે “શ્રદ્ધા’–‘આસ્થા”, ”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org