SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૦] નિર્વાણમાર્ગનું રહસ્ય તેટલી મારાં નયનનાં કાર્યમાં નથી. હવે કૃપા કરી આપનાં વચનને પરમાર્થ આપ જ સમજાવે. ત્યારે પરમાર્થ પ્રગટ કરતાં જ્ઞાની પુરૂષ કહે છે કે, “જે, સર્વત્ર છે મિથ્યાત્વ રૂપી અંધકારમાં રહીને સ્વચ્છેદે પ્રવૃત્તિ કરી રહ્યાં છે. આ અજ્ઞાનરૂપી અંધકાર દેખીને મેં તને ઉપરનાં, વ્યવહારથી અસત્ય છતાં પરમાર્થથી સત્ય એવાં વચને કહ્યાં.” તે સાંભળીને શિષ્ય ખૂબ પ્રસન્ન ચિત્ત થયે. સંક્ષેપમાં શ્રદ્ધાનું સ્વરૂપ આવું હોવું ઘટે છે તેમ અહીં કહેવાને ગંભીર આશય છે અને તે પરમ ઉપકારી છે. નિર્વાણુ માર્ગ માટેના સાત બેલ : શરૂમાં પત્ર આપ્યું છે, ત્યાં સાત અદ્ભૂત બેલ કહ્યા છે, જેના હૃદયપૂર્વકના શ્રદ્ધાયુક્ત આરાધનથી નિર્વાણ એટલે મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી તે બેલ સંબંધે વિચારણા કરી તેની યથાર્થતા સમજી લઈએ. તેમાં પ્રથમના બે બેલ – (૧) નિરંતર ઉદાસીનતાને કમ સેવવો. (૨) પુરૂષની ભક્તિ પ્રત્યે લીન થવું. સાતે બેલમાં આ બે બેલ મુખ્ય છે, કેમ કે તે બેના આરાધનથી નિર્વાણની પ્રાપ્તિ હોય છે. બાકીના પાંચ બેલ છે તે આ બંને વિસ્તાર છે અને તે બંનેને ટેકારૂપ એટલે સહાય કરનાર છે; વૃત્તિમાં શિથિલતા ન આવે અથવા પડવાનું ન બને તેવા અત્યંત કલ્યાણકારી શુભ હેતુએ તે પાંચ બોલ પ્રકાશ્યા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005517
Book TitleNirvan Margnu Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1983
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy