________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[૨૩] સુધર્માદવામી જંબુસ્વામીને ઉપદેશે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા શ્રી મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છે : ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરૂષે માર્ગ પામીને મેક્ષપ્રાપ્ત થયા.
આ એક સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાને લક્ષ છે.
आणाए धम्मो आणाए तवो ।
આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ.
( આચારાંગ સૂત્ર ) (૧૯૪)
યાદ હશે કે આ વિવેચન નીચેનાં વચને પર ચાલે છે -
એ સઘળાનું કારણ કેઈ વિદ્યમાન પુરૂષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે.” - તેમાં “એ સઘળાં પરત્વેની સમજણ અપાઈ ગઈ છે. તથા માર્ગની પ્રાપ્તિ વિદ્યમાન. સજીવન મૂર્તિ પુરૂષ કે જ્ઞાની પુરૂષના નિમિત્તથી શા માટે છે તે પણ સવિસ્તર જણાવાયું છે. હવે “કેઈ” વિશેષણ સંબંધે સમજણ લઈએ, “કોઈ એટલે અમુક જ નહીં પણ જે કાળે જે ક્ષેત્રે તથા રૂપ દશાને પ્રાપ્ત થયેલા ગમે તે સપુરૂષ કે જ્ઞાની પુરુષ વિદ્યમાન હોય તેમાંના ગમે તે, એમ કહેવાને સ્પષ્ટ અંતર આશય છે. જ્ઞાની પુરૂષની વાણી એકાંતને ગ્રહણ કરાવવાવાળી ક્યારે પણ ન હોય. માત્ર શ્રી તીર્થંકર પ્રભુના હૃદયમાં જે ત્રિકાળી સત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org