________________
[૨૨]
નિર્વાણમાર્ગનું રહસ્ય ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરૂષનાં ચરણારવિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત્યવરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આબેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્ય છે; સેવે છે અને સેવશે. જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિને એ જ માગે છે. સર્વ શાસ્ત્રોને બંધ લક્ષ જોવા જતાં એ જ છે. 9 (૧૯૪)
સર્વ શાને બોધ લક્ષ એ છે એની પ્રતીતિ માટે સૂત્રના આધારે હવે અમૂલ્ય વચને પ્રકાશે છે. જેથી આ સ્વતંત્ર પિતાને અભિપ્રાય છે એ જે જીવને ભાવ આવે તે તેની યથાગ્ય નિવૃત્તિ થાય.
“સૂયગડાંગ સૂત્રમાં કાષભદેવજી ભગવાને જ્યાં અઠાણું પુત્રને ઉપદેશ્યા છે, મોક્ષમાર્ગે ચઢાવ્યા છે ત્યાં એ જ ઉપદેશ કર્યો છે :
હે આયુષ્યમાન ! આ જીવે સર્વે કર્યું છે. એક આ વિના, તે શું ? તે કે નિશ્ચય કહીએ છીએ કે પુરૂષનું કહેવું વચન, તેને ઉપદેશ તે સાંભળ્યા નથી, અથવા રૂડા પ્રકારે કરી તે ઉઠાવ્યો નથી, અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org