________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[૨૧] પુરૂષને સમાગમ ભેગા થયે હોય, આશ્રય ભક્તિ કરી હોય પરંતુ કેઈ પ્રમાદ, મરણ આદિ કારણથી કાર્ય પૂર્ણ ન થયું હોય, તેવા જીવને બીજા ભવમાં પ્રત્યક્ષ સરુના યેાગ વિને તે જ પુરૂષનાં વચનરૂપ શાથી સમકિત થવું સંભવે છે. આમ બને તે પણ પ્રતિપાદિત સિદ્ધાંત હાનિને પામતે નથી. કેમ કે પૂર્વભવમાં એક વાર તેને તેવા પુરૂષને યોગ થયે જ હતું અને ત્યારપછીના બીજા ભવમાં સદ્દગુરુના સમાગમ અને આશ્રયની ઇચ્છા છતાં તેમાં સફળતા ન મળી. હવે ત્રીજા પ્રકારમાં કોઈ એક આચાર્ય પ્રત્યક્ષપણે તે વચનના હેતુથી કેઈક જીવને સમતિ પ્રાપ્ત કરાવે છે. આ વચને અત્યંત સ્પષ્ટ હેઈ સમજી શકાય તેવાં છે. ' - પરમકૃપાળુ દેવે માર્ગને મર્મ બતાવતાં વિદ્યમાન પ્રત્યક્ષ સપુરૂષ કે જ્ઞાની પુરૂષના સમાગમ અને આશ્રયભક્તિ ઉપર અત્યંત ભાર મૂક્યાનું કારણ સહજ વિચારથી લક્ષગત થઈ સમજાય તેવું છે. પોતે પૂર્વભવમાં શ્રી મહાવીર પ્રભુના શિષ્ય હતા ત્યારે તેમણે આ વાત જાણી હતી તેમ પ્રગટ અનુભવી હતી અને આ ભવમાં જાતિસ્મરણ જ્ઞાનના ઉઘાડથી તેની સ્મૃતિ તાદ્રશ્ય થઈ હતી, અને તેથી જ જીવન નિજકલ્યાણાર્થે આ પરમ રહસ્ય ભારપૂર્વક દર્શિત કરી પરમ ઉપકાર કર્યો છે.
આ પરમ હિતકારી સિદ્ધાંત સંબંધે કેઈને કિંચિત્ માત્ર અંદેશે કે આશંકા ન રહે તે હેતુએ પરમ કૃપાળુ દેવે પિતાને અનુભવ દષ્ટાંતરૂપે કહ્યો છે. જુઓ, આ રહ્યાં તે વચને–
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org