________________
નિર્વાણુમા નું રહસ્ય
[ ૧૯ ]
પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે. પરમ મડાખ્યા ગોપાંગનાએ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી; પરમાત્માને નિરજન અને નિર્દે હુરૂપે ચિંતવ્યે જીવને એ લય આવી વિકટ છે, એટલા માટે જેને પરમાત્માના સાક્ષાત્કાર થયે છે, એવા દેહધારી પરમાત્મા તે પરાભક્તિનુ' પરમ કારણ છે. તે જ્ઞાની પુરૂષનાં સર્વાં ચારિત્રમાં ઐકયભાવના લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માના ઐકયભાવ હાય છે; અને એ જ પરાભક્તિ છે. જ્ઞાની પુરૂષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કોઈ અતર માને છે, તેને માની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તે પરમાત્મા જ છે અને તેની ઓળખાણુ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી; માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા ચેાગ્ય એવી દેહધારી દિવ્યમૂર્તિ જ્ઞાની રૂપ પરમાત્માની ને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાધવી એવા શાસ્ત્ર લક્ષ છે. પરમાત્મા આ દેહધારી રૂપે થયે છે એમ જ જ્ઞાની પુરૂષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિ રૂપ હોય છે. આ વિષે શ્રીમદ્ ભાગવતમાં ભગવદ્ ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ્ય પ્રશસ્યા છે; અધિક શુ કહેવુ' ? જ્ઞાની તી કર દેવમાં લક્ષ થવા જૈનમાં પણ પંચ પરમેષ્ટિ મત્રમાં “નમે અરિહંતાણું ” પદ્મ પછી સિદ્ધને નમસ્કાર કર્યાં છે; એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરૂષની ભક્તિ; અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે. (૨૨૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org