________________
[ ૧૮]
નિર્વાણમાર્ગનું રહસ્ય “બારમે ગુણસ્થાનકે વર્તતા આત્માને નિદિધ્યાસનરૂપ ધ્યાનમાં શ્રુતજ્ઞાન એટલે મુખ્ય એવાં જ્ઞાનીનાં વચનને આશય ત્યાં આધારભૂત છે, એવું પ્રમાણ જિનમાર્ગને વિષે વારંવાર કહ્યું છે. બેધબીજની પ્રાપ્તિ થયે, નિર્વાણમાર્ગની યથાર્થ પ્રતીતિ થયે પણ તે માર્ગમાં યથાસ્થિત સ્થિતિ થવાના અર્થે જ્ઞાની પુરૂષને આશ્રય મુખ્ય સાધન છે અને તે ઠેઠ પૂર્ણ દશા થતાં સુધી છે, નહીં તે જીવને પતિત થવાનો ભય છે, એમ માન્યું છે. તે પછી પિતાની મેળે અનાદિથી બ્રાંત એવા જીવને સદ્ગુરુના વેગ વિના નિજ રવરૂપનું ભાન થવું અશક્ય છે, એમાં સંશય કેમ હોય? નિજ સ્વરૂપને દઢ નિશ્ચય વર્તે છે તેવા પુરૂષને પ્રત્યક્ષ જગદ્ વ્યવહાર વારંવાર ચૂકવી દે એવા પ્રસંગે પ્રાપ્ત કરાવે છે, તે પછી તેથી ન્યૂન દશામાં ચૂકી જવાય એમાં આશ્ચર્ય શું છે? પિતાના વિચારના બળે કરી, સત્સંગ સક્શાસ્ત્રને આધાર ન હોય તેવા પ્રસંગમાં આ જગ વ્યવહાર વિશેષ બળ કરે છે. અને ત્યારે વારંવાર શ્રી સદગુરુનું માહાસ્ય અને આશ્રયનું સ્વરૂપ તથા સાર્થકપણું અત્યંત અપરોક્ષ સત્ય દેખાય છે.” (પ૭૫).
જ્ઞાની પુરૂષને સત્સંગ થયે અને તેના માર્ગને આરાધ્ય જીવને દર્શન મેહનીય કર્મ ઉપશમે છે કે ક્ષય થાય છે, અને અનુક્રમે સર્વ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જીવ કૃતકૃત્ય થાય છે, એ વાત પ્રગટ સત્ય છે.” (૫૪૮).
પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું (1) તે
(156).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org