________________
[૧૨]
નિર્વાણમાર્ગનું રહસ્ય પ્રકારથી, વિચારથી કે બુદ્ધિથી, આત્માની ઓળખાણ અને પ્રતીતિ આવી શકતાં નથી.
અને તે કારણે કૃપાળુ ભગવંત હવે પછીનાં વચને સુંદર શૈલીમાં અસરકારક રીતે પ્રકારે છે કે –
જ્યાં અતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ કયાંથી હોય? 9
આત્મ સ્વરૂપના ગુપ્ત સ્થળે પહોંચી તેની માત્ર ઝાંખી કરવાની શક્તિ જ્યારે બુદ્ધિમાં નથી, અર્થાત્ જે સ્થળે મતિની ગતિને પહોંચવા અસમર્થતા છે, ત્યાં વચન, જે સ્થૂલ છે, તેની શક્તિ ક્યાંથી હોય? બુદ્ધિ અને વિચાર જે અતિ સૂક્ષ્મ છે અને ઘણે દૂર સુધી પહોંચવાના બળવાળાં છે, તેમ છતાં તે આ અગમ્ય અને અગેચર સ્થળે જઈ શકતા નથી, તે પછી તેનાથી સ્થૂળ–અતિ સ્થળ-એવાં જે વચન તે ક્યાંથી પહોંચી શકે?
આથી તે ગુપ્ત સ્થળે એટલે આત્મસ્વરૂપની ઊંડી ઊંડી ગુફાના સ્થાનકે પહોંચવા માટે, આત્મજ્ઞાન અને આત્મદર્શનથી માંડી ઠેઠ અનંત સુખ સ્વરૂપ એવા નિર્વાણ સુધીના ઉત્તમોત્તમ કર્તવ્યરૂપ કાર્યની નિઃશંક સફળતા માટે અચૂક ઉપાય હવે પછી સાત બેલથી શ્રી ભગવંત પરમ અનુગ્રહતાથી જણાવે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org