________________
[ ૮ ]
નિર્વાણુમા નું રહસ્ય
અને તેમની પ્રેમભક્તિરૂપ સત્સાધનાની પ્રાપ્તિ થતી જોઈ જ્ઞાની પુરૂષને આહ્લાદની વિશેષતા, ઉપર કહ્યું તેમ, સહજ પ્રકારે થાય છે. આવું જ મુનિશ્રીના પરમ ભક્તિને સૂચવનારા પત્રથી કૃપાળુ ભગવંતને આહ્લાદની વિશેષતા થઈ હતી અને તે વાત ગુપ્ત ન રાખતાં, મુનિશ્રીના આત્માને બળ મળે, ઇચ્છિત કાર્યોંમાં ઉત્સાહ વધે અને તેએ સાચા રાહ પર છે તેના સ્વીકાર દર્શાવતાં તેઓના ઉમંગ ઉસિત થાય તે હેતુએ તે વાત પ્રગટ કરી અને તેમ કરવાથી મેટા ઉપકાર કર્યાં એમ કહેવામાં ખાટું નથી. જ્ઞાની પુરૂષની સનાતન શૈલી આ પ્રકારની હાય છે.
શિષ્યની અંતરંગ પરમ ભક્તિરૂપ દશા એટલે તેની સત્પાત્રતા જોઈ શ્રી સદ્ગુરુને તેની ચેાગ્યતાનુસાર માર્ગોના મ જણાવવાની વૃત્તિ સહજ સ્ફુરી આવે છે. જેથી શિષ્યના આત્મા કલ્યાણને પામે. એ નિયમ પ્રમાણે પરમ કૃપાળુ દેવ નિર્વાણમા નું રહસ્ય સાત અદ્ભુત ખેલથી પ્રગટ કરે છે, અને તેમ કરતાં પહેલાં પૂર્વ ભૂમિકા તૈયાર કરવા માટે વિચારમાં ગરકાવ કરી દે અને હૃદયમાં સોંસરાં ઉતરી જાય તેવાં અનુપમ વચના પ્રકાશે છે, તે વચને આ પ્રમાણે છે :—
4 અનંત કાળથી પાતાને ધાતા વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે; આ એક અવાચ્ય, અદ્દભુત વિચારણાનું સ્થળ છે; જ્યાં મતિની ગતિ નથી, ત્યાં વચનની ગતિ કાંથી હાય ? -,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org