________________
નિર્વાણમાર્ગનું રહસ્ય ઉભરાઈ આવે છે અને પરસ્પર પ્રીતિની ગાંડથી બંધાય છે; તેમ અહીં તેવા જ કોઈ ઉદયના પરિણામે પરમાર્થથી આત્મા આત્માનું અનુસંધાન થયું, જિજ્ઞાસુ આત્માએ જ્ઞાની આત્માની ઓળખાણ કરી, પ્રેમભક્તિના અજબ આકર્ષણે મુનિશ્રીને દેહ શાંતરસમાં ખૂલતા આત્મપ્રાણ પુરૂષનાં ચરણોમાં સહજાસહજ ઢળી પડ્યો. અલૌકિક દૃષ્ટિના ઉઘાડથી લૌકિક દૃષ્ટિ છિન્નભિન્ન થઈ અને શ્રદ્ધા–પ્રેમ-રસ સભર અંતરના સામ્રાજ્યને ઉદય મુનિશ્રીના હૃદયમાં શરૂ થયે. ન આવી પ્રેમ શ્રદ્ધાથી વર્ધમાન થયેલી પરમ ભક્તિ તેનું કાર્ય પ્રગટતાએ ન કરે એમ બનવું કઠણ છે; મુનિશ્રીએ તે પરમ ભક્તિને ધવલ પત્ર પર વચને દ્વારા પ્રગટ કરી અને અંદરમાં રહેલા ભાવે જણાવી કઈ પ્રકારે સંતોષ સાથ આનંદ લીધે. સુશિષ્યનું લક્ષણ કેવું હોય તે અહીંથી સુગમતાએ જાણવા મળે છે; આ સ્થળે માત્ર મુખ્ય લક્ષણની વાત કહી છે.
આ પરમ ભક્તિને સૂચવનારે પત્ર પરમ કૃપાળુ દેવને મો, વાંચે ત્યારે તેમના લખવા મુજબ તેમને આહૂલાદની વિશેષતા થઈ.
અત્રે કેઈએમ ધારે અને અર્થ કરે કે પરમ કૃપાળુ દેવ મુનિશ્રીની પિતા પ્રત્યેની પરમ ભક્તિથી પ્રસન્ન થયા અને માનસહિત આહૂલાદ વિશેષતાએ અનુભવ્ય, તે તેવી ધારણું તેના કલ્યાણના બારણાં બંધ કરનાર છે અને તે અર્થ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org