________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[૧૪૫] સત્ય છે. બારમા ગુણસ્થાનકે વર્તતા આત્માને નિદિધ્યાસનરૂપ ધ્યાનમાં શ્રુતજ્ઞાન એટલે મુખ્ય એવાં જ્ઞાનીનાં વચનને આશય ત્યાં આધારભૂત છે, એવું પ્રમાણ જિનમાર્ગને વિષે વારંવાર કહ્યું છે. બેધબીજની પ્રાપ્તિ થયે, નિર્વાણમાર્ગની યથાર્થ પ્રતીતિ થયે પણ તે માર્ગમાં યથાસ્થિત સ્થિતિ થવાને અર્થે જ્ઞાની પુરૂષને આશ્રય મુખ્ય સાધન છે; અને તે ઠેઠ પૂર્ણ દશા થતા સુધી છે, નહિ તે જીવને પતિત થવાનો ભય છે એમ માન્યું છે.”
(૫૭૫) પૂર્ણ વીતરાગ બારમા ગુણસ્થાનકના અંત સમયે થવાય છે અને પછી સગી કેવળી નામનું તેરમું ગુણસ્થાનક શરૂ થાય છે. તેનું વર્ણન “અપૂર્વ અવસરમાંથી ઉતારીએ છીએ.
“ ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભવનાં બીજતણે આત્યંતિક નાશ જે; સર્વ ભાવ જ્ઞાતા દેછા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જે. વેદનીયાદિ ચાર કર્મ વતે જહાં, બળી સીંદરીવત્ આકૃતિ માત્ર , તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે,
આયુષ પૂર્ણ, મટિયે દૈહિક પાત્ર છે.” * છેલે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org