________________
[ ૧૩૬]
નિર્વાણમાર્ગનું રહસ્ય સપુરૂષના દર્શનનું અચિંત્ય માહાસ્ય પ્રગટ ક્યું પરંતુ તે દર્શનલાભ વેળાએ શું બનતું હશે ? તેની કલ્પના કરીએ તે કહી શકાય કે પુરૂષના મુખચંદ્રમાંથી દિવ્ય શીતળ તેજનાં કિરણો છૂટતાં હશે, ચક્ષુમાંથી પ્રેમની અમીધારા, નિષ્કારણ કરૂણા નીતરતાં હશે, અને વદન પર નિસ્પૃહતા અને વીત રાગતાની રેખાઓ ઉત્તળપણે ચમકતી હશે, યથાયોગ્ય દિશાને પ્રાપ્ત જિજ્ઞાસુની દષ્ટિ તે દર્શનથી નજરાતી હશે; દષ્ટિ–દષ્ટિનું અનુસંધાન થવાથી આત્મા–આત્માનું ગુપ્ત અપૂર્વ જોડાણ થતું હશે, અને તેનું ફળ શું ?
સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ
સ્વરૂપપ્રતીતિ એટલે આત્મજ્ઞાન, આત્મદર્શન, સમ્યદર્શન કે સમકિત. તેની પ્રાપ્તિ કેમ થાય તેની ચાવી શરૂનાં ત્રણ કારણમાં બતાવી દીધી છે, વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ. આ રહસ્ય તે સર્વ જ્ઞાની ભગવંતેના અનુભવને નિચેડ છે. રવરૂપપ્રતીતિ-સમકિત તે ચોથું બાધબીજ નામનું ગુણસ્થાનક છે, તે અવિરતિ સમ્યફદષ્ટિ નામે પણ ઓળખાય છે. “અહીં આત્માના અનુભવની શરૂઆત થાય છે. અર્થાત્ મિક્ષ થવાનું બીજ અહીં રોપાય છે. આ બધબીજ ગુણસ્થાનક, ચેથા ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનક સુધી આભઅનુભવ એક સરખે છે, પરંતુ જ્ઞાનાવરણીય કર્મની નિરાવણતાનુસાર જ્ઞાનની વિશદ્વતા ઓછી અદકી હોય છે, તેના પ્રમાણમાં અનુભવનું પ્રકાશવું કહી શકે છે.” (વ્યાખ્યાન સાર–૧) આ ગુણસ્થાનકે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org