________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[ ૧૩૫] પરંતુ અહે, કર્મની વિચિત્રતા બળવાન છે! “ભગવાન પરિપૂર્ણ સર્વગુણસંપન્ન કહેવાય છે, તથાપિ એમાંય અપલક્ષણ કંઈ ઓછાં નથી ! વિચિત્ર કરવું એ જ એની લીલા.” કેમકે દેહદેવળમાં રહેલે આત્મપ્રભુ કમેન ઉદયે નિમિત્તાધીન થઈ મેળવેલું અથવા શ્રધેલું ભૂલી જઈ કઈ બીજા પ્રકારે વતી વૃત્તિને નીચે લાવે છે. વૃત્તિ તેનું સીધું, સરળ અને ઉપકાર વહેણ અટકાવી આડી ફંટાય છે ત્યારે તેનું ધ્યાન રહેવું તે પણ કઠણ બને છે. અજાગૃત જેવી અટપટી દશા થઈ જાય છે. મેહરાજાનું પ્રાબલ્ય અનુભવગેચર થાય છે. ફરી પુરૂષને સમાગમ થાય અથવા પૂર્વને સમાગમગ સ્મૃતિમાં આવે, અથવા તેમની વીતરાગ મુખમુદ્રા દર્શનરૂપ થાય અથવા વચનામૃત સ્મરણમાં આવે, ત્યારે મેહ હાર ખાઈ નાસી જાય છે અને નીચે ઉતરેલી વૃત્તિ ઉપર આવી સ્થિર થાય છે. આવી ચડઉતર સ્થિતિ ઘણુવાર બન્યા કરે છે, પરંતુ આખરે તે નિમિત્તાની યથાગ્ય સ્મૃતિ થતાં અંતરની નબળાઈ દૂર થઈ સ્થિરતા આવે છે, માટે જ કહ્યું કે તે નિમિત્તો “પડતી વૃત્તિને સ્થિર રાખનાર” છે.
આગળના વચનમાં પુરૂષની પાવનકારી મુખમુદ્રાનાં દર્શનનું જે ઉત્તમ ફળ છે તે બતાવ્યું છે; વચનામૃત ૧૭રમાં પણ ઉપદેશ કર્યો હતો કે પુરૂષની મુખાકૃતિનું હૃદયથી
અવલોકન કરવું, પ્રમપૂર્વકનું તે દર્શન, માત્ર કરશે ન માતાના આત્માને નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક થાય છે અર્થાત્ નિજસ્વભાવ તરફ અગમ્યપણે ખેંચી જાય છે. આમ કહી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org