SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૧૩૩ ] આ મુનિ સમુદાયમાં શ્રીમદ્જી પણ છે અને તે સસમાગમમાં પિતાને થયેલ અનુભવ દર્શાવીને મોટા મુનિએ તરફથી પરમાર્થને લાભ મેળવી આનંદિત થાય છે. અનેક આશંકાનું સ્થાન એવા ગૂઢ તરનું જ્ઞાન તથા સમાધાન તેમના આત્મામાં ખુશી ઉપજાવે છે. તે બધું તેમની ઉજજ્વળતા પામતી મુખમુદ્રા પરથી સુપ્રતીત થાય છે. આ સર્વ અદ્ભુત અને ઉપકારી અનુભવની સ્મૃતિ, ભેદપૂર્ણ પ્રાપ્ત થયેલ જ્ઞાનની સ્મૃતિ, માર્ગના પરમ રહસ્યની મૃતિ શ્રીમદ્જીને તેમના આ ભવમાં સુસ્પષ્ટપણે થઈ હતી અને તેથી તે “અહે, સપુરૂષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ!” એ અનુભવવચને સહજ નીકળ્યાં હતાં. આત્મસિદ્ધિ સાધવાનાં ત્રણ નિમિત્તો, (૧) સપુરૂષનાં વચનામૃત, (૨) પુરૂષની મુખમુદ્રા અને (૩) સપુરૂષને સત્સમાગમ, તે સંબંધમાં થેડી વિચારણા કરીએ. સાધારણ રીતે એવી માન્યતા પ્રવર્તે છે કે જીવને વચનામૃત જ માત્ર મેટી અસર કરે છે, પરંતુ સત્યતાએ જોતાં પ્રથમ અસર અવ્યક્તતાએ પુરૂષના સમાગમે, તેઓ કોઈ વચન પ્રકાશે નહીં તે પણ પુરૂષની અને તેમની પવિત્ર મુખમુદ્રાની જ થાય છે. ત્યાર પછી સપુરૂષને વચનગને ઉદય આવતાં વચને પ્રકાશે છે ત્યારે અસરની પ્રગટતા અનુભવગમ્ય થાય છે. એવું પણ કવચિત્ બને છે કે પ્રબળ જણાનુબંધના ઉદયે પુરૂષનાં પ્રથમ દર્શને સત્પાત્ર જિજ્ઞાસુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005517
Book TitleNirvan Margnu Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1983
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy