________________
[૧૩૨]
નિર્વાણમાર્ગનું રહસ્ય સંભવ નથી; ક્ષકમાં છે. પ્રત્યક્ષ દર્શનના સંભવના અભાવે અગિયારમેથી જીવ પાછો વળે છે. ઉપશમશ્રેણી બે પ્રકારે છે. એક આજ્ઞારૂપ; એક માર્ગ જાણ્યા વિના સ્વાભાવિક ઉપશમ થવારૂપ. આજ્ઞારૂપ પણ આજ્ઞા આરાધન સુધી પતિત થતો નથી. પાછળ ઠેઠ ગયા પછી માર્ગના અજાણપણાને લીધે પડે છે. આ નજરે જોયેલી, આત્માએ અનુભવેલી વાત છે. કેઈ શાસ્ત્રમાંથી નીકળી આવશે. ન નીકળે તે કંઈ બાધ નથી. તીર્થકરના હૃદયમાં આ વાત હતી, એમ અમે જાણ્યું છે. ”
(૧૭૦) કલ્પનાચિત્ર ચિહ્યું ઃ
આ ચિત્રમાં તે જ મુનિર્વાદ ઉપગપૂર્વક જ્ઞાનવાતાં કરે છે, પરમ સત્સંગ કરે છે. પિતા પોતાના અનુભવો પરસ્પર જણાવી પરમાર્થની આપલે કરી જ્ઞાનવૃદ્ધિ કરે છે. ઊંચી દશાવાન મુનિઓ નીચેની દશાવાળા મુનિના અનુભવને પરમાર્થ સુખપૂર્વક નિમનભાવે કહી બતાવે છે અને ઉત્સાહ વધારે છે તેમજ તેમની યોગ્યતા જોઈ પિતાના અનુભવ પણ પ્રગટ કરે છે. આત્માના ઐશ્વર્યાને પરચા, આત્માના વૈભવની વિભૂતિ, આત્માની ઊંચી ઊંચી દશાએ ભાસ્યમાન થતાં અર્થસૂચક પ્રતીકે એ આદિ જ્ઞાનચર્ચા મુનિએ સ્વપકલ્યાણના હેતુઓ કરે છે. ગંભીર જણાતા મુનિએ આનંદની હેલી વરસાવે છે. જગતને સ્વાર્થ સાધક અને અનુદાર ચિત્તવાળા દેખાતા મુનિઓ ઉદારતાની મૂર્તિસમા ભાસ્યમાન થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org