________________
નિવણમાર્ગનું રહસ્ય
[ ૧૩૧] છે, જેમાં શ્રીમદ્જીની પણ હાજરી છે. બધા સ્વચ્છ અને નિર્દોષ ભૂમિ પર પદ્માસનમાં બેસી આત્મરત થઈ આત્મધ્યાનમાં લીન થવાના પુરૂષાર્થમાં છે. કેઈ કોઈને છેડી જ વારમાં આત્મસમાધિ લાગી જાય છે, કેઈને છેડા વિલંબ બાદ એ નિરૂપમ દશાની પ્રાપ્તિ થાય છે, પરમકૃપાળુ શ્રીમદ્જીને ઉદયયોગ સારે છે. આથી તેઓ અનુપમ સમાધિમાં રહી શુદ્ધાત્માને, વીતરાગતાનો શુદ્ધ અનુભવ કરી રહ્યા છે, તે તેમની મુખાકૃતિ પર અંકિત થયેલી તેજરેખાઓથી પ્રતીત થાય છે. અહે, તે દશ્ય કેવું સુંદર અને અલૌકિક છે! અહે, તેઓ કેવા સ્થિર અને શાંત દેખાય છે!
કેટલાક સમય પછી તેઓ અપૂર્વ સમાધિને અવર્ણનીય સુખ અને આનંદના અનુભવમાંથી ઉદયના ધક્કાને લીધે બહાર આવે છે ત્યારે બહારનાં દો, પદાર્થોમાં તેમને ઉપગ કંઈક સમય સુધી લાગી શક્તા નથી, વારંવાર અંદરમાં વળવા તરફ રહ્યા કરે છે. તેઓ પૂર્ણ જાગૃતાવસ્થામાં નથી તેમ પૂર્ણ સમાધિમાં પણ નથી. હવે તેઓ જાગ્રત થાય છે. મહાપ્રભુજી પાસેથી તેઓ ઉપશમ શ્રેણિમાં આરુઢ થયા હતા તેનું જ્ઞાન મેળવે છે અને તે કારણે ખેદ પણ અનુભવે છે.
વીતરાગતાના અનુભવવાળી દશાની સ્મૃતિ શ્રીમદ્જીને આ ભવમાં થઈ હતી તે તેમના જ વચનોથી જોઈએ –
ગુણઠાણ એ સમજવા માટે કહેલાં છે, ઉપશમ અને ક્ષપક એ બે જાતની શ્રેણી છે. ઉપશમમાં પ્રત્યક્ષ દર્શનને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org