________________
[ ૧૩૦]
નિર્વાણમાર્ગનું રહસ્ય યથાયોગ્ય સ્થાને વિરાજે છે, પ્રભુજીની અમૃતવાણીનું એક ચિત્તથી શ્રવણ કરી તેનું મધુર પાન કરે છે. તેમના હદયકમળમાં ઉલ્લાસભાવ માટે નથી; પ્રભુ પ્રત્યેની નિર્મળ પ્રેમની માત્રા કઈ અનુપમરૂપે વહી રહી છે; સમર્પણભાવ એકધારાએ ઊર્ધ્વગતિ કરી રહ્યો છે, તે છતાં આત્માને તૃપ્તિ થાય એવી પરાભક્તિ અને તત્કાળ મુક્તિના નિદાનરૂપ શક્તિ ન હોવાને અંતરુખેદ અંતરના ઊંડાણમાં ગુપ્તપણે રહ્યો છે, અને તે શલ્યની પિઠે ખૂંચે છે.
તેવા અવસરે સદ્ભાગ્ય યેગે પ્રભુજીની વાણી દ્વારા પિતાનાં કેટલાંક ગૂઢ પ્રશ્નોનું સમાધાન મળતાં તેમનું હૃદય અતિ હર્ષથી પુલક્તિ થાય છે ને મૌનપણે પ્રભુજીને મહાન ઉપકાર માને છે. તેવામાં શ્રીમદ્જીની દષ્ટિ પ્રભુજીના મુખચંદ્ર પાછળ રહેલા દેદીપ્યમાન ભામંડળ પર પડે છે અને ત્યાં જ સ્થિર થાય છે ત્યારે કેટલાક અદ્ભુત દયે તેઓ આનંદાશ્ચર્ય સહિત નિહાળે છે. તેમાં પિતાના પ્રભુજી સાથેના ભવભવના શુભ સંબંધ પ્રભુકૃપા થકી પિતાને થયેલી આત્મજ્ઞાનની પ્રાપ્તિ અને વર્તન માને પ્રવર્તતી આત્મદશા, અન્ય જ્ઞાની પુરૂષો સાથેના ત્રાણાનું બધે એ આદિ જોઈ તેમનું ચિત્ત પ્રસન્નતા અનુભવે છે. કલ્પનાચિત્ર ત્રીજું :
“જગતની વિસ્મૃતિ કરવી અને ચતુના ચરણમાં રહેવું એ બોધના આરાધનથી “સકળ જગત તે એંઠવત્ અથવા સ્વપ્ન સમાન” એવી જ્ઞાનદશાથી વિરાજિત જ્ઞાની પુરુષોનું વૃંદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org