SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [ ૧૨૧] ઓગણીસસે ને બેતાલીસ, અદ્ભુત વૈરાગ્યધાર રે; એગણુસસે ને સુડતાલીસે, સમકિત શુદ્ધ પ્રકાડ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. આવી અપૂર્વ વૃત્તિ અહે, થશે અપ્રમત્ત એગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પશીને દેહ વિગ રે. અવશ્ય કર્મને ભેગ છે, ભેગવા અવશેષ રે, તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે. આમ જ્ઞાનની અત્યંત નિર્મળતા, શ્રુત અનુભવની અતિ ઉચ્ચ દશા, અંતર્લીની પૂરી જાણકારી અને ગુપ્ત ભેદ– પ્રભેદોની પ્રગટતા થયા પછી સં. ૧૯૫૫માં અમૃતપત્ર ૮૭૫ લખીને સધર્મને જિજ્ઞાસુઓ પર અચિંત્ય, પરમ ઉપકાર કર્યો છે. ૧૭૨ અને ૮૭૫ બંને પત્રમાં કહેવાને ગુપ્ત આશય એક જ છે; વધારામાં એટલું કે પત્રાંક ૮૭૫માં સત્યરૂષને ઉપકાર કેવી રીતે છે તે અતિ સ્પષ્ટતાથી બળવાન વચન દ્વારા બતાવ્યું છે. તે પત્ર આ પ્રમાણે છે – મુંબઈ, જેઠ, ૧૯૫૫ પરમ કૃપાળુ મુનિવર્યના ચરણકમળમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. અહે, સપુરૂષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ! સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005517
Book TitleNirvan Margnu Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1983
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy