________________
[૧૨૨]
નિર્વાણમાર્ગનું રહસ્ય પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને
પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત;
છેલ્લે અગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્તો.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ વિવેચન :
પત્રને આરભ કરતાં પહેલાં શ્રીમદ્જીએ પરમ કૃપાળુ અને મુનિઓમાં ઉત્તમ એવા મુનિશ્રીના ચરણકમળમાં સવિનય ભક્તિથી નમસ્કાર કર્યા છે. જે મુનિ શ્રી વીર ભગવંતની આજ્ઞામાં રહી સદાચારનું એકનિષ્ઠાએ સેવન કરતા હોય, ત્રણે
ગની એકાગ્રતાથી આત્મારાધન કરતા હોય અને સરળતા. નમ્રતા, સમતા આદિ ઉત્તમ ગુણોને વિશેષ ને વિશેષ પ્રગટાવતા જઈ પરમ ઉપકારી શ્રીગુરુની કલ્યાણકારી આજ્ઞાને શિરસાવંદ્ય ગણે તેને આધીન થઈ વર્તતા હોય તે મુનિવર્ય કહેવાય, એ સર્વમાન્ય સિદ્ધાંત છે. અહીં એક બીજું વિશેષણ જવામાં આવ્યું છે અને તે છે “પરમ કૃપાળુ”; આ વચનને પરમાર્થ સહુને સુવિદિત છે કે જેના પવિત્ર હૃદયમાં સ્વ-દયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org