SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ સપુરૂષને અચિંત્ય ઉપકાર નિર્વાણમાર્ગનું રહસ્ય દર્શાવતું, પરમ આત્મજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીએ લખેલ અમૃતપત્ર અને તેમાં પ્રગટ કરેલ સાત અભુત બેલ સંબંધે વિસ્તૃત વિવેચન આપણે જોઈ ગયા છીએ, યાદ હશે કે તે પત્ર સંવત ૧૯૪૭ના કાર્તિક સુદિ ચૌદશના શુભ દિને, અર્થાત્ તેઓશ્રીના ત્રેવીસમા વર્ષના અંત સમયે લખાયું હતું અને પત્રમાં સહી કરી ત્યારે સહજ હદયના ઊંડાણમાંથી ભાવની પ્રતીતિ આપતાં અપૂર્વ વચને સરી પડ્યાં હતાં કે “સર્વ કાળ એ જ કહેવા માટે જીવવા ઈચ્છનાર રાયચંદની વંદના ”. આ વચનોની વિશેષ સાબિતી આપણને તેઓશ્રીના તે જ મુનિશ્રી લલ્લુજી મહારાજ ઉપર સંવત ૧૯૫૫ના જેઠ માસમાં લખાયેલ અમૃતપત્ર નં. ૮૭૫માં જોવા મળે છે. આ બન્ને પાત્રોની વચ્ચે લગભગ સાડા આઠ વર્ષને કાળ વ્યતીત થયેલ છે તેમ જ સાત પાને અમૃત પ્રવાહ વહી ગયો છે. આ કાળ દરમ્યાન પરમકૃપાળુ શ્રીમદ્જીની આત્મદશા કેટલી ઊર્ધ્વગામિની થઈ હતી તે આપણે તેમના જ વચનોથી જાણી શકીએ છીએ :– “સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વધત હોય એવી દશા રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી. આ (૩૧૩) આત્મા તે પ્રાયે મુક્તરવરૂપ લાગે છે. વીતરાગપણું વિશેષ છે.” (૩૧૭) Jain Education International For Personal & Private Use Only For Personal Private Use only www.jainelibrary.org
SR No.005517
Book TitleNirvan Margnu Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1983
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy