________________
[ ૧૧૨ ]
નિર્વાણમાર્ગનું રહસ્ય થા! નહીં તે રત્નચિંતામણિ જે આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે સપુરૂષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા ગ્ય છે. (૫૦૫)
બંધ વૃત્તિઓને ઉપશમાવવાને તથા નિવર્તાવવાને જીવને અભ્યાસ, સતત અભ્યાસ કર્તવ્ય છે, કારણ કે વિના વિચારે, વિના પ્રયાસે તે વૃત્તિઓનું ઉપશમવું અથવા નિવર્તવું કેવા પ્રકારથી થાય? કારણ વિના કેઈ કાર્ય સંભવતું નથી.
પુત્રાદિ સંપત્તિમાં જે પ્રકારે આ જીવને મેહ થાય છે તે પ્રકાર કેવળ નીરસ અને નિંદવા ગ્ય છે. જીવ જે જરાય વિચાર કરે તે સ્પષ્ટ દેખાય એવું છે કે કેઈને વિષે પુત્રપણું ભાવી આ જીવે માઠું કર્યામાં મણ રાખી નથી, અને કેને વિષે પિતાપણું માનીને પણ તેમજ કર્યું છે અને કેઈ જીવ હજુ સુધી તે પિતાપુત્ર થઈ શક્યા દીઠા નથી. સૌ કહેતા આવે છે કે આને આ પુત્ર અથવા આને આ પિતા, પણ વિચારતાં આ વાત કોઈ પણ કાળે ન બની શકે તેવી સ્પષ્ટ લાગે છે. અનુત્પન્ન એ આ જીવ તેને પુત્રપણે ગણવે કે ગણાવવાનું ચિત્ત રહેવું એ સૌ જીવની મૂઢતા છે. (૧૦)
જિનવર્ધમાનાદિ સપુરૂષે કેવા મહાન મને જયી હતા! તેને મૌન રહેવું, અમૌન રહેવું અને સુલભ હતું; તેને સર્વ અનુકૂળ-પ્રતિકૂળ દિવસ સરખા હતા; તેને લાભ– હાનિ સરખી હતી, તેને કેમ માત્ર આત્મ સમતાથે હવે, કેવું આશ્ચર્યકારક કે એક કપનાને જય એક કપે થવો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org