________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[૧૧૧] તમે અમે કંઈ દુઃખી નથી, જે દુખ છે તે રામના ચૌદ વર્ષનાં દુઃખને એક દિવસ પણ નથી. પાંડવના તેર વર્ષનાં દુખની એક ઘડી નથી અને ગજસુકુમારના ધ્યાનની એક પળ નથી. (૪૫૦)
રાખ્યું કંઈ રહેતું નથી અને મૂછ્યું કંઈ જતું નથી, એ પરમાર્થ વિચારી કઈ પ્રત્યે દીનતા ભજવી કે વિશેષતા દાખવવી એ યંગ્ય નથી. (૪૫૭)
શારીરિક વેદનાને દેહને ધર્મ જાણું અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણ સમ્યક પ્રકારે અહિયાસવા ગ્ય છે. ઘણીવાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તતું હોય છે, ત્યારે ઉપર જે કહ્યો છે તે સભ્યપ્રકાર રૂડા ને પણ સ્થિર રહે કઠણ થાય છે, તથાપિ હદયને વિષે વારંવાર તે વાતને વિચાર કરતાં અને આત્માને નિત્ય, અદ્ય, અભેદ્ય જરા, મરણાદિ ધર્મથી રહિત ભાવતાં, વિચારતાં, કેટલીક રીતે તે સમ્યક પ્રકારને નિશ્ચય આવે છે. મેટા પુરૂષેએ અહિયાસેલા એવા ઉપસર્ગ તથા પરિગ્રહના પ્રસંગેની જીવમાં સ્મૃતિ કરી તે વિષે તેમનો રહેલે અખંડ નિશ્ચય તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવા ગ્ય જાણવાથી જીવને તે સમ્યફ પરિણામ થાય છે, અને વેદના, વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થયે ફરી તે વેદના કોઈ કર્મોનું કારણ થતી નથી. (૪૬૦)
હે જીવ! આ કલેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છેડી જાગૃત થા! જાગૃત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org