________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[ ૯] પડે તેમ છે. ને જો એમ છે, તે સમજ વિવેકી જીવે તે તત્કાળ તે ઉપાય કર ઘટે છે. નિકટ ભવ્ય જેથી આ વાત મનાશે અને જે દીર્ઘ સંસારી હશે તે ચર્ચા વિચારણામાં રહી જશે. બુદ્ધિને સદુપયોગ નહીં કરે તેને છૂટવાને વિલંબ હશે, એમ માનવું ગ્ય છે.
જ્ઞાની ભગવંતેએ અનુભવવાણીથી કહેવાનું કાંઈ બાકી રાખ્યું નથી, જીવે સ્વછંદમાં રહી કરવાનું બાકી રાખ્યું છે. જ્ઞાનીની વાણી ઉપર શ્રદ્ધા કરવી, તેને યથાતથ્ય સમજવી તે પણ મેટો ગુણ છે; જીવે જ્ઞાનીનાં વચનમાં ઉપર ઉપરથી શ્રદ્ધા કરી હોય પણ વચનના આશયને સમજ્ય ન હોય તે પણ ગુણની કચાશ છે અને તેથી ફળદાયી થાય નહીં.”
સિદ્ધાંતના સમર્થનમાં કૃપાળુ ભગવંત પિતાની સાક્ષી આપી કહે છે કે પિતાને આત્માના અસંખ્યાત પ્રદેશ, તે સર્વ પ્રદેશે, એકે એક પ્રદેશે “મને તે એ જ સમ્મત છે.”
અહીં કેઈને અશાગ્યા કેવળીનું દષત યાદ આવે તે તેનું સમાધાન પણ કૃપાળુદેવે જ નીચે પ્રમાણે કર્યું છે.
“અશેયા કેવળી જેમણે પૂર્વે કઈ પાસેથી ધર્મ સાંભળે નથી તેને કઈ તથારૂપ આવરણને ક્ષયથી જ્ઞાન ઉપર્યું છે, એમ શાસ્ત્રમાં નિરૂપણ કર્યું છે, તે આત્માનું માહાભ્ય દર્શાવવા, અને જેને સદ્ગગ ન હોય તેને જાગ્રત કરવા, તે તે અનેકાંત માર્ગ નિરૂપણ કરવા દર્શાવ્યું છે, પણ સદ્ગુરુઆજ્ઞાએ પ્રવર્તવાને માર્ગ ઉપેક્ષિત કરવા દર્શાવ્યું નથી. વળી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org