________________
નિર્વાણમા નું રહસ્ય
[ 9 ]
છે એમ કહી શાસ્ત્રાની સાક્ષી આપી તેમ સંતના હૃદયની શાખ આપી અને તેથી રહસ્યની સિદ્ધિ કરી. આ સાત બેલનું પ્રેમપૂર્વકનું આરાધન એ સ્વકલ્યાણને માર્ગ છે અને તેના પરિણામે શાસ્ત્રના ઊંડાણમાં જે મમ રહ્યો હોય છે તે પ્રકાશમાં આવી સમજાય છે. સંત પુરૂષના કોમળ હૃદયમાં ગુપ્તપણે કેવા ભાવે રમતા હોય છે તે પ્રગટતા પામે છે અને ઇશ્વરના ઘરે એટલે નિજ ઘરે પહોંચવા માટેને જે સરળ, સુગમ અને સ્વચ્છ મા છે તે પર આવવા માટેનુ રહસ્ય દૃષ્ટિમાં આવે છે, તેમ નથી થતું ત્યાં સુધી શાસ્ત્રાના બેધલક્ષ નજર સન્મુખ થઈ શકતા નથી અને શાસ્ત્રમાં બતાવેલ ભેદપ્રભેદોમાં જીવ અટવાઈ રહે છે, અથવા “ તે પોતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઈ નિર્ધારી લઇ, તેવે અંતભેદ થયા વિના અથવા દશા ફર્યાં વિના, વિભાવ ગયા વિના પેાતાને વિષે જ્ઞાન પે છે” (૪૨૨); તેમ સંતના હૃદયના, અંતરના ભાવેાને ઓળખી શકતા નથી તથા તેમનાં મન, વચન, કાયાની ચેષ્ટાનાં અદ્ભુત રહસ્યા કળી શકતા નથી અને તેમ ન બન તા પછી નિજ ઘરે પહોંચવાની ચાવી હાથમાં કેમ આવે ?
માટે આ સાત ખેલ તે મહામાર્ગ છે અને તેનાથી માના મમ સમજાય છે અને મમ સમજાયા પછી મેાક્ષ દૂર નથી, એમ કહેવાનો, પ્રબોધવાનો અન્ય આશય છે. તેથી આ ખેલને કરી ફરી વિચારવા, ચિંતવવા, આત્મસાત કરવા કર્ણા ભાવે ઉપદેશ કર્યાં છે, કે જેથી તે આરાધવાથી જીવ સ કલેશ અને દુઃખાનો ક્ષય કરી અનંત અવ્યાબાધ સ્વરૂપને પ્રાપ્ત થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org