________________
નિર્વાણમાર્ગનું રહસ્ય સુધી મેં તમને માર્ગના મર્મને (એક અંબાલાલ સિવાય) કેઈ અંશ જણાવ્યું નથી, અને જે માર્ગ પામ્યા વિના કઈ રીતે જીવને છૂટકે થે કેઈ કાળે સંભવિત નથી, તે માર્ગ જે તમારી યોગ્યતા હશે તે આપવાની સમર્થતાવાળે પુરૂષ બીજે તમારે શોધ નહીં પડે. એમાં કઈ રીતની પિતાની સ્તુતિ કરી નથી. આ આત્માને આવું લખવાનું યંગ્ય લાગતું નથી, છતાં લખ્યું છે.”
અહીં એક પ્રશ્ન થવા યોગ્ય છે કે જે પરમ રહસ્ય શ્રી જ્ઞાની પુરૂએ ગંભીરપણે રહીને પિતાનાં હૃદયમાં ગેપવી. રાખ્યું હતું, તે પરમકૃપાળુ શ્રીમદ્જીએ શા માટે પ્રગટ કર્યું હશે? સર્વ જ્ઞાનીઓની માન્યતાથી ઉપરવટ જઈને તેમણે શા માટે હદયમાંથી બહાર કાઢી પ્રકાશમાં આપ્યું હશે? તેનું સમાધાન આ પ્રમાણે વિચારવું ઘટે છે.
એક, જ્ઞાની પુરૂષએ આ રહસ્યને હૃદયમાં રાખ્યું હોય છે તે વાત ખરી, પરંતુ સર્વ કાળને માટે તે પ્રકારે ગુપ્ત રાખતા નથી. જ્ઞાની પુરૂષ તે અત્યંત કરૂણામય અને દયાળુ હોય છે, પિતાની પાસે જે કંઈ હોય છે તે યોગ્ય જેને આપવા હંમેશા ખુશી અને તત્પર હોય છે, તેઓ કંઈ છૂપાવવાના હેતથી છૂપાવતા નથી. પ્રેમી અને યંગ્ય ગ્રાહક દેખી આપી દેવાના સુચિત્તવાળા હોય છે, અને તેમ અવશ્ય કરે છે, તે સમર્થ આત્મજ્ઞ અને આત્મદશી પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીએ જ્ઞાની પુરૂષની સનાતન શૈલીને માન્ય રાખી, માન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org