________________
[૯૪]
નિર્વાણમાર્ગનું રહસ્ય આગળને બોધ શું છે તે હવે જોઈએ. બળવાન ભારપૂર્વકનાં વચનોથી જણાવે છે કે આ રહસ્ય ફરી ફરી ચિંતવવા ગ્ય છે. જેનું ફરી ફરીને ચિતન થાય, તે આત્મામાં પરિણામરૂપ થાય છે. આ રહસ્ય પરત્વે જે માન્યતા કરી હોય, તેને પુનઃ પુનઃ વિચારવાથી, તેનું વારંવાર મનન કરવાથી માન્યતા શ્રદ્ધારૂપ થાય છે અને શ્રદ્ધા આવ્યા પછી પણ તેનું અનુપ્રેક્ષણ કરવાથી શ્રદ્ધા પ્રતીતિમાં પરિણમે છે. માન્યતા ઉપરની સપાટી પરની છે; શ્રદ્ધા કંઈક ઊંડાણવાળી, છતાં ફરી શકવાના સ્વભાવવાળી છે, ત્યારે પ્રતીતિ ખૂબ ઊંડાણમાં જઈ આત્માને સ્પર્શવાળી છે અને તેથી તે બદલાતી નથી. આથી જે સત્યરૂપ મૂલ્ય છે, તે તે પ્રતીતિ સંબંધે છે. તે પ્રતીતિ શાથી આવે તે માટેનું યથાર્થ માર્ગદર્શન અહીં આપ્યું છે. આવી અદ્ભુત, ન બદલાય એવી પ્રતીતિ પરિણામ પામ્યા પછી જીવનું કર્તવ્ય એ છે કે તેમાં ક્ષણે ક્ષણે, સમયે સમયે લીન થવું, જેથી આત્મકલ્યાણ સુલભતાએ અને શીવ્રતાએ સાધ્ય કરી શકાય. આટલું કરવાથી પ્રથમના બે બેલનું આરાધન જલદીથી સફળતાપૂર્વક થાય છે તેમ જ બાકીના પાંચ બેલ તે ઈષ્ટ કાર્યમાં સહાયભૂત બને છે. જે કંઈ લીનતા કરવાની છે તે અહીં બતાવેલ રહસ્યમાં એટલે કે “સપુરૂષમાં પ્રેમ, શ્રદ્ધા અને અર્પણુતા”માં કરવાની છે.
આ પરમ રહસ્ય સર્વ જ્ઞાની પુરૂષનાં હૃદયમાં ગુપ્તપણે રહ્યું હતું, રહ્યું છે, તે અહીં પ્રગટ કર્યું છે. પત્રાંક ૧૭૩માં પરમ કૃપાળુ દેવ એક જિજ્ઞાસુ ભાઈને જણાવે છે કે “હજુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org