________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[૬૩] તૂટી જાય. એવું આ પરમ ઉપકારી પરમ રહસ્ય અત્રે જીના આત્મકલ્યાણાર્થે પ્રગટ કર્યું છે, કે જેને પરમ પ્રેમે આશ્રય કરવાથી જેને હૃદયથી ઉપાસવાથી જીવનાં મેહનીય કર્મનાં પડળ દૂર થાય છે, જ્ઞાન દર્શનનાં આવરણે અને વીર્યને રોકનારી અંતરાયે ક્ષીણ થતી જઈ ક્ષય થાય છે.
આવી તેની અદ્ભુત ઉપયોગિતા અને ઉપકારિતા હોવાને કારણે પરમ કૃપાળુ દેવે ભારપૂર્વક વચનથી સમજણ આપી કે આ પરમ રહસ્ય નિર્વાણને અર્થે, મેક્ષને અર્થે એટલે નિજાત્માની પરમ શુદ્ધતાની પ્રાપ્તિને અથે માન્ય રાખવા
ગ્ય છે, એટલે સ્વીકારવા યંગ્ય છે. તેને સ્વીકાર કર્યા પછી તે શ્રદ્ધવા ગ્ય છે; માનવું અને શ્રદ્ધવું એ બે વચ્ચે અંતર છે, જે માન્યતા હોય તે શ્રદ્ધારૂપ અથવા શ્રદ્ધાપણે વર્તવારૂપ હેતી નથી. જેમ કે સત્ય બલવું અને આચરવું તે સારું છે તે માન્યતા હોય, પણ તે સિદ્ધાંત શ્રદ્ધાના બળ વગર આચાર રૂપ થતું નથી અથવા દેહ અને આત્મા બંને ભિન્ન છે તેવી માન્યતા હોય પણ તેથી શ્રદ્ધા છે એમ કહેવાય નહીં, કારણ કે જેટલા અંશે શ્રદ્ધા હોય, તેટલા અંશે તેને અનુરૂપ વર્તવાનું બને. આથી માન્યતાની દઢતા તે શ્રદ્ધા અને તેમ ન થાય ત્યાં સુધી માન્યતા તે માન્યતા જ છે. “માનવાનું ફળ નથી પણ દશાનું ફળ છે.” (૩૯૭) એમ પરમકૃપાળુ દેવે પણ કહ્યું છે, આથી અત્રે કહ્યું તે પરમ રહસ્ય માન્ય રાખી શ્રદ્ધવા રોગ્ય છે એ હિતકારી ઉપદેશ કર્યો અથવા માન્યતાને બળવતી કરી શ્રદ્ધામાં લઈ જવાનું સૂચન કર્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org