________________
[૯૨ ]
નિર્વાણમાર્ગનું રહસ્ય પ્રકારે થાય છે તે જોઈએ. આ બેલમાં મુખ્યપણે શ્રદ્ધા ને અર્પણતા એટલે આજ્ઞારાધન રહ્યાં છે. પુરૂષોએ સમ્મત કરેલું હોય તે સર્વ સત્યસ્વરૂપે જ હોય, અને તેથી તે માન્ય કરવાથી તથા તેમાંથી બોધ લેવાથી જ્ઞાનની નિર્મળતા થાય અને જ્ઞાનની નિર્મળતાને કારણે વૈરાગ્ય વધે. વૈરાગ્ય વધતાં ઉદાસીનતાને કેમ આગળ ને આગળ વીતરાગતા પ્રત્યે કુચકદમ કરે. જેમ જેમ ઉદાસીનતાની વર્ધમાનતા થાય અર્થાત્ આત્મદશા ઊંચી ચઢતી જાય તેમ તેમ તેના કારણરૂપ સપુરૂષની ભક્તિ જ છે એનું અત્યંત દઢપણું થતાં ભક્તિ પ્રત્યે લીનતા આવે જ.
આ પ્રમાણે સાત બેલ પરનું વિવેચન અહીં પૂર્ણ થાય છે; તેમાં ન્યાયપૂર્વકનો કમ છે તે બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તેની ઉપયોગિતા, તેનું મૂલ્ય અને તેની ઉપકારિતા કેટલાં છે તે તે પરમકૃપાળુ દેવ પોતે હવે પછી કહે છે.
આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, મઢવા ગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે.?
આ વચનેથી શું કહ્યું? આ તે પરમ રહસ્ય છે રહસ્ય તેનું નામ કે જેમાં ગુપ્ત ભેદ રહ્યો હોય, જે સર્વસામાન્ય જીવથી અપ્રગટ હેય અને જે ઉત્તમ ચાવીરૂપ (Master Key) હોય, જેના વડે સર્વ તાળાં ખુલ્લી જાય અર્થાત બંધને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org