SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | હારનો અનુપાત | ગાથા ૧૪૨૧ ગાથા : आभोएउं खेत्तं णिव्वाघाएण मासणिव्वाहि । गंतूण तत्थ विहरइ एस विहारो समासेण ॥१४२१॥ અન્વયાર્થ : =નિર્વાઘાતથી માલ્વિહિં માસનિર્વાહી નં–ક્ષેત્રને મામોજાણીને તત્વ=ત્યાં તે ક્ષેત્રમાં, તૂUT=જઈને વિ=વિહરે છે. સમારે વિહારો=આ સમાસથી વિહાર છે. ગાથાર્થ: - નિર્વાઘાતથી માસનો નિર્વાહ કરનારા ક્ષેત્રને જાણીને, તે ક્ષેત્રમાં જઈને વિચરે છે. આ સંક્ષેપથી જિનકભીનો વિહાર છે. ટીકા : ____ आभोज्य-विज्ञाय क्षेत्रं निर्व्याघातेन हेतुभूतेन मासनिर्वाहि-मासनिर्वहणसमर्थ, गत्वा तत्र क्षेत्रे विहरति-स्वनीतिं पालयति, एष विहारः समासेनास्य भगवत इति गाथार्थः ॥१४२१॥ ટીકાર્ય : હેતુભૂત એવા નિર્ચાઘાતથી=માસના નિર્વાહમાં હેતુભૂત એવા વ્યાઘાત વગર, માસના નિર્વાહવાળા=માસનો નિર્વાહ કરવામાં સમર્થ એવા, ક્ષેત્રને જાણીને, તે ક્ષેત્રમાં જઈને વિહરે છે=સ્વનીતિને પાળે છે–પોતે સ્વીકારેલ જિનકલ્પની મર્યાદાનું પાલન કરે છે. આ ભગવાનનો જિનકલ્પી ઋષિનો, આ સમાસથી=સંક્ષેપથી, વિહાર છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૪૧૯માં કહેલ કે આ ઋષિ જિનકલ્પસ્વીકારની વિધિને કરીને ત્રીજી પોરિસીમાં જાય છે, તો તેઓ ક્યાં જાય છે? તે બતાવતાં કહે છે કે તે ઋષિ શ્રુતજ્ઞાનના ઉપયોગથી માસનિર્વાહ માટે સમર્થ એવા વ્યાઘાત વગરના ક્ષેત્રને જાણીને તે ક્ષેત્રમાં જાય છે, અને ત્યાં જઈને જિનકલ્પની મર્યાદાનું માસકલ્પરૂપે પાલન કરે છે. તેઓ એક સ્થાનમાં દીર્ઘકાળ પણ રહેતા નથી કે સતત વિહાર પણ કરતા નથી. આ પ્રકારની આ જિનકલ્પી ઋષિની સંક્ષેપથી વિહારની વિધિ છે. આના દ્વારા ફલિત થાય કે જિનકલ્પીની વિહારની વિશેષથી વિધિ અન્ય શાસ્ત્રોથી જાણી લેવી, ગ્રંથકારશ્રીએ તે વિધિનો પ્રસ્તુત ગ્રંથમાં વિસ્તાર કરેલ નથી. // ૧૪૨૧૫. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy