SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તક / અભ્યધત વિહાર | હારનો અનુપાત / ગાથા ૧૪૨૦ છ3 ગાથા : पक्खीपत्तुवगरणे गच्छारामा विणिग्गए तम्मि । चक्खुविसयं अईए अयंति आनंदिया साहू ॥१४२०॥ અન્વયાર્થ : પક્વપત્તવરને પક્ષીના પત્ર જેવા ઉપકરણવાળા, છારામાં વિનિg=ગચ્છરૂપી આરામથી નિર્ગત એવા તw=તે=જિનકલ્પી ઋષિ, #વિસયં મv=ચક્ષુના વિષયને અતીત થયે છતે માનંદિયા સાદૂ-આનંદિત એવા સાધુઓ મયંતિ આવે છે–પોતાની વસતિમાં આવે છે. ગથિય: પક્ષીની પાંખ જેવા ઉપકરણવાળા, ગચ્છરૂપી બગીચામાંથી નીકળેલા એવા જિનકભી બહષિ ચક્ષુના વિષયને અતીત થયે છતે આનંદિત એવા સાધુઓ પોતાની વસતિમાં આવે છે. ટીકા? ___पक्षिपत्रोपकरणे-अमुकस्तोकोपधौ गच्छारामात् सुखसेव्याद्विनिर्गते तस्मिन्-जिनकल्पिके चक्षुर्विषयमतीते-अदर्शनीभूते आगच्छन्ति स्ववसतिमानन्दिताः साधवः तत्प्रतिपत्त्येति गाथार्थः ॥१४२०॥ ટીકાઈઃ પક્ષીના પત્ર જેવા ઉપકરણવાળા=અમુક થોડી ઉપધિવાળા, સુખસેવ્ય એવા ગચ્છરૂપી આરામથી વિનિર્ગત એવા સુખે સેવી શકાય એવા ગચ્છરૂપી બગીચામાંથી નીકળેલા એવા, તે=જિનકલ્પિક, ચક્ષના વિષયને અતીત થયે છતે અદર્શનીભૂત થયે છતે, તેની પ્રતિપત્તિથી=જિનકલ્પના સ્વીકારથી, આનંદ પામેલા સાધુઓ સ્વવસતિને વિષે આવે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: જિનકલ્પ સ્વીકારતી વખતે તે ઋષિ પાસે અમુક થોડી ઉપધિ હોય છે; કેમ કે જિનકલ્પીને જઘન્યથી બે પ્રકારની અને ઉત્કૃષ્ટથી બાર પ્રકારની ઉપધિ હોય છે. માટે તેઓને પક્ષીની પાંખ જેવા ઉપકરણવાળા કહેલ છે. વળી તે મહાત્મા જિનવચનાનુસાર પ્રવર્તનાર હોવાથી તેવા મહાત્માની ગચ્છના સાધુઓ સેવા કરતાં હોય છે, તેથી તે મહાત્મા માટે પોતાનો ગચ્છ સુખે સેવી શકાય એવો હતો, છતાં પોતે નિઃસ્પૃહી હોવાથી તે ગચ્છરૂપી બગીચામાંથી નીકળીને વિશેષ આરાધના માટે જાય છે; અને જતા એવા તે જિનકલ્પી ઋષિ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી ગચ્છના સાધુઓ તેઓને જુએ છે, અને જયારે તે ઋષિ ચક્ષુનો વિષય ન બને તેટલા દૂર જાય ત્યારે, તે ઋષિના જિનકલ્પના સ્વીકારથી આનંદિત થયેલા ગચ્છના સાધુઓ પોતાની વસતિમાં જાય છે; અને વિચારે છે કે “આ ઋષિ સુખે સેવ્ય એવા સ્થવિરકલ્પને છોડીને, જિનકલ્પને સ્વીકારીને મહાપરાક્રમથી અસંગભાવને સાધી રહ્યા છે, માટે તેઓનું દર્શન-સ્મરણ પણ આનંદપ્રદ છે.” આ પ્રકારના પરિભાવનથી હર્ષિત થયેલા એવા તે સાધુઓ આનંદિત થાય છે. ll૧૪૨૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy