SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તક / અભ્યધત વિહાર જિનકલ્પીની સામાચારી / ગાથા ૧૪૨૨-૧૪૨૩ o૫ ગાથા : एत्थ य सामायारी इमस्स जा होइ तं पवक्खामि । भयणाए दसविहाए गुरूवएसानुसारेण ॥१४२२॥ અન્વયાર્થ : સ્થ ય અને અહીં=જિનકલ્પી જે ક્ષેત્રમાં જઈને વિચરે છે એ ક્ષેત્રમાં, ડુમસ આમની જિનકલ્પી ઋષિની, ના સામયિાર હો જે સામાચારી હોય છે, તેં તેને તે સામાચારીને, ગુરૂવાલાનુસારેv=ગુરુના ઉપદેશના અનુસારથી રવિહાદશવિધ એવી સામાચારીમાં મયા=ભજના વડે પવરવામિ હું કહીશ. ગાથાર્થ : અને જિનકભી બહષિ જે ક્ષેત્રમાં જઈને વિચરે છે, એ ક્ષેત્રમાં જિનકભી બહષિની જે સામાચારી હોય છે, તેને ગુરના ઉપદેશ અનુસારે દશવિધ સામાચારીમાં ભજના વડે હું કહીશ. ટીકા : ___ अत्र च क्षेत्रे सामाचारी-स्थितिरस्य या भवति जिनकल्पिकस्य, तां प्रवक्ष्यामि भजनया विकल्पेन, दशविधायां सामाचार्यां वक्ष्यमाणायां गुरूपदेशानुसारेण, न स्वमनीषिकयेति गाथार्थः ॥१४२२॥ ટીકાર્ય : અને આ ક્ષેત્રમાં જિનકલ્પી ઋષિ જે ક્ષેત્રમાં જઈને વિચરે છે એ ક્ષેત્રમાં, આ જિનકલ્પિકની જે, સામાચારી–સ્થિતિ=મર્યાદા, હોય છે, તેને ભજના વડે=વિકલ્પ વડે, હું કહીશ. - જિનકલ્પિકની સામાચારી ગ્રંથકારશ્રી કઈ સામાચારીમાં કહેશે? તે બતાવે છે – વક્ષ્યમાણ આગળની ગાથામાં કહેવાનારી, દશવિધ સામાચારીમાં ગુરુના ઉપદેશના અનુસારથી હું કહીશ, સ્વમનીષિકાથી નહીં=સ્વમતિથી કહીશ નહીં, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: વિરકલ્પિક સાધુઓ જે દશવિધ ચક્રવાલ સામાચારીનું પાલન કરે છે, તેમાંથી જિનકલ્પિક સાધુઓ કઈ કઈ સામાચારીનું પાલન કરે છે ? તે ગ્રંથકારશ્રી જુદા જુદા મત પ્રમાણે વિકલ્પથી બતાવવાના છે. વળી ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથમાં પૂર્વ દશવિધ ચક્રવાલ સામાચારી બતાવેલ નથી. તેથી કહે છે કે દશવિધ સામાચારી ગુરુના ઉપદેશ અનુસાર આગળમાં કહેવાશે એ છે, અને તે દશવિધ સામાચારી કહ્યા પછી તેમાંથી જિનકલ્પિક સાધુને કઈ કઈ સામાચારી હોય? તેનું સ્પષ્ટીકરણ ગ્રંથકારશ્રી કરશે. આ પ્રકારની પ્રતિજ્ઞા ગ્રંથકારશ્રી પ્રસ્તુત ગાથામાં કરે છે. ll૧૪૨૨ અવતરણિકા : दशविधामेवादावाह - અવતરણિકાર્ય : દશવિધ સામાચારીને જ, આદિમાં જ=જિનકલ્પિકની સામાચારી કહેવાની શરૂઆતમાં જ, કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy