SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૦ - સંલેખનાવસ્તક / અભ્યધત વિહાર / “વટવૃક્ષ' દ્વાર / ગાથા ૧૪૧૦-૧૪૧૮ તમને હું નમાવું છું. હું કેવો છું? તે બતાવતાં કહે છે – નિઃશલ્ય, નિષ્કષાય, સંવૃત્ત એવો હું છું, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અભ્યદ્યત વિહારના સ્વીકાર માટે તત્પર એવા ગણિ આદિ ઋષિએ, અત્યાર સુધી ચતુર્વિધ સંઘવર્તી ગચ્છના સાધુઓ, શ્રાવકાદિને સમ્યગુ અનુશાસન આપીને યોગમાર્ગમાં સમ્ય પ્રવર્તાવ્યાં છે; છતાં ક્યારેક પ્રમાદને વશ થઈને પોતે તેઓને સારી રીતે પ્રવર્તાવ્યાં ન હોય, જેથી તે જીવોના હિતની ઉપેક્ષા થઈ હોય, તો તેનું સ્મરણ કરીને તેઓને ખમાવતાં કહે છે કે “મારા વડે પૂર્વમાં તમારી સાથે જે કાંઈ સારું વર્તન કરાયું ન હોય, તેના નિમિત્તે હું તમારી ક્ષમા માંગું છું.” વળી આ ક્ષમાયાચના, માત્ર જેમને પોતે ખમાવ્યા તેઓના મનને સંતોષ આપવા માટે જ નથી, તે સ્પષ્ટ કરવા કહે છે કે હું શલ્ય વગરનો, કષાય વગરનો સંવૃત્ત છું અને તેવો થઈને હું તમને ખમાવું છું. તેથી વ્યક્ત થાય છે કે જિનકલ્પ સ્વીકારનાર ઋષિને કોઈના ગમે તેવા વર્તન પ્રત્યે મનદુઃખરૂપ શલ્ય હોતું નથી અને કોઈ પ્રત્યે થોડો પણ રાગ કે દ્વેષ હોતો નથી, પરંતુ મધ્યસ્થભાવથી સંપૂર્ણ સંવૃત્ત થયેલા હોય છે અને તેવા સંવૃત્ત થઈને તેઓ સર્વને ખમાવે છે. ૧૪૧ અવતરણિકા : ચરમ દ્વારવિષયક પૂર્વપ્રવૃત્તિ બતાવીને, હવે તે ઋષિ જિનકલ્પ કઈ રીતે સ્વીકારે છે? તે રૂપ અભ્યદ્યત વિહારના અંતિમ “વટવૃક્ષ' નામના દ્વારનું સ્વરૂપ બતાવે છે – ગાથા : दव्वाई अणुकूले महाविभूईए अह जिणाईणं । अब्भासे पडिवज्जइ जिणकप्पं असइ वडरुक्खे ॥१४१८॥ दारं ॥ અન્વયાર્થ : મદ હવે વ્યા જુલૂકને દ્રવ્યાદિ અનુકૂળ હોતે છતે નિખારૂંvi ગમાણે જિનાદિના અભ્યાસમાં= તીર્થંકરાદિની પાસે, નિપ્પજિનકલ્પને મહાવિમૂર્વ=મહાવિભૂતિથી પડિmડું=સ્વીકારે છે. રસ નહીં હોતે છતે જિનાદિ નહીં હોતે છત, વડવર-વટવૃક્ષવિષયક (અપવાદ છે.) ગાથાર્થ : હવે દ્રવ્યાદિ અનુકૂળ હોતે છતે તીર્થકરાદિની પાસે જિનકલ્પને મહાવિભૂતિથી સ્વીકારે છે. તીર્થકરાદિ નહીં હોતે છતે અપવાદથી વડના વૃક્ષ નીચે જિનકલ્પ સ્વીકારે છે. ટીકાઃ द्रव्यादावनुकूले सति महाविभूत्या-दानादिकयाऽथ जिनादीनामतिशयिनामभ्यासे प्रतिपद्यते जिनकल्पमुत्सर्गेण, असति च वटवृक्षेऽपवाद इति गाथार्थः ॥१४१८॥ (द्वारम् ) ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy