SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવતુક | અભ્યધત વિહાર | દ્વારનો અનુપાત | ગાથા ૧૪૧૮-૧૪૧૯ ટીકાર્ય : હવે=જિનકલ્પ સ્વીકારને યોગ્ય સર્વ ઉચિત કૃત્યો કર્યા પછી, દ્રવ્યાદિ અનુકૂળ હોતે છતે=દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવ જિનકલ્પસ્વીકારને અનુકૂળ હોતે છતે, ઉત્સર્ગથી, અતિશયવાળા જિનાદિના અભ્યાસમાં= અતિશયધારી એવા તીર્થકર વગેરેની પાસે, જિનકલ્પને દાનાદિક મહાવિભૂતિથી સ્વીકારે છે. અને નહીં હોતે છતે અતિશયધારી એવા તીર્થકર આદિ નહીં હોતે છતે, વટવૃક્ષવિષયક અપવાદ છેઃવડના વૃક્ષ નીચે જિનકલ્પ સ્વીકારવા સ્વરૂપ અપવાદ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં બતાવ્યું એ રીતે સર્વને ખમાવીને આ ઋષિ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અનુકૂળ હોય, ત્યારે જિનકલ્પ સ્વીકારવારૂપ ઉત્તમ કાર્ય કરે છે, પરંતુ ઉત્તમ કાર્ય માટે વિષ્ણભૂત હોય તેવા દ્રવ્યાદિમાં જિનકલ્પ સ્વીકારતા નથી; અને આ ઋષિ જિનકલ્પ ઉત્સર્ગથી તીર્થકર વગેરે પાસે સ્વીકારે છે. વળી જિનકલ્પ સ્વીકારતી વખતે પ્રાય: ચતુર્વિધ સંઘ ભેગો થયેલો હોય છે; અને આ જિનકલ્પસ્વીકારનું કૃત્ય મહાવૈભવપૂર્વક થવું જોઈએ તેવી સ્પૃહા નહીં હોવા છતાં, લોકોના હિત માટે દાનાદિ ક્રિયાપૂર્વક મહાવૈભવથી તે ઋષિ જિનકલ્પ સ્વીકારે છે, જેથી તે જિનકલ્પસ્વીકારની પ્રવૃત્તિ જોઈને ઘણા જીવોને બીજાધાન આદિ થાય. વળી અતિશયધારી તીર્થંકરાદિ જિનકલ્પ આપવા માટે વિદ્યમાન ન હોય, તો અપવાદથી તે ઋષિ મહાવૈભવપૂર્વક વડના વૃક્ષ નીચે જિનકલ્પ સ્વીકારે છે. ૧૪૧૮ ગાથા : दाराणुवाय मो इह सो पुण तइआए भावणासारं । काऊण तं विहाणं णिरविक्खो सव्वहा वयइ ॥१४१९॥ અન્વયાર્થ : રૂદવારવા =અહીં દ્વારનો અનુપાત છે=પૂર્વગાથામાં કહ્યું કે ઉત્સર્ગથી જિનાદિ પાસે અને અપવાદથી વટવૃક્ષ નીચે જિનકલ્પ સ્વીકારે છે એમાં જિનકલ્પના સ્વીકારવિષયક વિધિ બતાવનારા દ્વારની પ્રાપ્તિ છે. મવિUTIણા પુT તં વિહાdi=વળી ભાવના સાર એવા તે વિધાનને=ભાવનાપ્રધાન એવી જિનકલ્પના સ્વીકારની વિધિને, =કરીને સદ્ગળિરવિવો સો સર્વથા નિરપેક્ષ એવા તે=જિનકલ્પ સ્વીકારનારા ઋષિ, તફસાઈ તૃતીયામાં ત્રીજી પોરિસીમાં, વડું જાય છે. * “જો' પાદપૂરણ અર્થમાં છે. ગાથાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે ઉત્સર્ગથી જિનાદિ પાસે અને અપવાદથી વટવૃક્ષ નીચે જિનકલ્પ સ્વીકારે છે. એ કથનમાં જિનકલ્પના સ્વીકારવિષયક વિધિ બતાવનારા દ્વારની પ્રાપ્તિ છે, પરંતુ તે વિધિ પ્રસ્તુત ગ્રંથમાં બતાવેલ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy